સુરહ બકરહ 273,274
PART:-149 (Quran-Section) (2)સુરહ બકરહ આયત નં.:-273,274 ☘☘☘☘☘☘☘☘☘☘☘ اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيْمِ અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ لِلۡفُقَرَآءِ الَّذِيۡنَ اُحۡصِرُوۡا فِىۡ سَبِيۡلِ اللّٰهِ لَا يَسۡتَطِيۡعُوۡنَ ضَرۡبًا فِى الۡاَرۡضِ يَحۡسَبُهُمُ الۡجَاهِلُ اَغۡنِيَآءَ مِنَ التَّعَفُّفِۚ تَعۡرِفُهُمۡ بِسِيۡمٰهُمۡۚ لَا يَسۡــئَلُوۡنَ النَّاسَ اِلۡحَــافًا ؕ وَمَا تُنۡفِقُوۡا مِنۡ خَيۡرٍ فَاِنَّ اللّٰهَ بِهٖ عَلِيۡمٌ(273) 273).દાનને લાયક ફક્ત તે ગરીબો છે જેઓ અલ્લાહના માર્ગમાં રોકી દેવામાં આવ્યા, જેઓ દેશમાં હરી ફરી શકતા નથી, બેવકૂફ લોકો તેમના સવાલ ન કરવાને કારણે તેમને માલદાર સમજે છે, તમે તેમના મોઢા ને જોઈને નિશાનીથી તેમને ઓળખી લેશો, તે લોકોથી ચીમટીને ભીખ નથી માંગતા, તમે જે કંઈ માલ ખર્ચ કરો અલ્લાહ (તઆલા) તેને જાણનાર છે. તફસીર(સમજુતી):- તેનાથી આશય તે મુહાજિરો છે જેઓ મક્કાથી મદીના આવ્યા અને અલ્લાહના માર્ગમાં આવવાના કારણે તેમની દરેક વસ્તુ છૂટી ગઈ, આ દાયરામ