Posts

Showing posts from November 23, 2019

(2).સુરહ બકરહ 90

Image
PART:-51 (Quran-Section)         (2)સુરહ બકરહ        આયત નં.:-90 ●ஜ▬▬ஜ~●~ஜ▬▬ஜ● اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيْمِ અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) _________________________ بِئۡسَمَا اشۡتَرَوۡا بِہٖۤ اَنۡفُسَہُمۡ اَنۡ یَّکۡفُرُوۡا بِمَاۤ اَنۡزَلَ اللّٰہُ بَغۡیًا اَنۡ یُّنَزِّلَ اللّٰہُ مِنۡ فَضۡلِہٖ عَلٰی مَنۡ یَّشَآءُ مِنۡ عِبَادِہٖ ۚ فَبَآءُوۡ بِغَضَبٍ عَلٰی غَضَبٍ ؕ وَ لِلۡکٰفِرِیۡنَ عَذَابٌ مُّہِیۡنٌ ﴿۹۰﴾ 90).ઘણી ખરાબ વાત છે જેના બદલામાં તેમણે પોતાની જાતને વેચી નાંખી કે જે માર્ગદર્શન અલ્લાહે મોકલ્યું છે, તેને સ્વીકારવાથી માત્ર એ હઠધર્મીને કારણે ઇન્કાર કરી રહ્યા છે કે અલ્લાહે પોતાની કૃપા (વહ્ય–દિવ્ય પ્રકાશના અને રિસાલત–ઈશદૂતત્વ) દ્વારા પોતાના જે બંદાને પોતે ઇચ્છ્યું, નવાજી દીધો. એટલા માટે હવે આ પ્રકોપ-ઉપર-પ્રકોપને પાત્ર થઈ ગયા છે અને આવા કાફિરો (વિધર્મીઓ) માટે સખત અપમાનજનક  સજા નિશ્ચિત છે. તફસીર(સમજુતી):- આ આયતનો ખુલાસો એ છે કે યહૂદીઓએ મુહમ્મદ(સ.અ.વ)ની પુષ્ટિ કરવાને બદલે નકાર્યા અને તેમના પર ઈમાન લાવવાનો ઈનકાર કર્યો આપની સહા