સુરહ અન્-નિસા 82,83
PART:-289 પારા નંબર:- 05 (4)સુરહ અન્-નિસા આયત નં.:-82,83 ☘☘☘☘☘☘☘☘☘☘☘ આજની આયાતના વિષય ~~~~~~~~~~~~~~ કુરઆન અલ્લાહનુ કલામ છે તેની રોશન દલીલ તહકીક અને પુષ્ટિ કરવાનો હુકમ ☘☘☘☘☘☘☘☘☘☘☘ اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ اَفَلَا يَتَدَبَّرُوۡنَ الۡقُرۡاٰنَؕ وَلَوۡ كَانَ مِنۡ عِنۡدِ غَيۡرِ اللّٰهِ لَوَجَدُوۡا فِيۡهِ اخۡتِلَافًا كَثِيۡرًا(82) 82).શું આ લોકો કુરઆન પર વિચાર નથી કરતા? જો આ અલ્લાહ (તઆલા)ના સિવાય કોઈ બીજાના તરફથી હોત તો બેશક આમાં ઘણા બધા મતભેદો જોવા મળતા. તફસીર (સમજુતી):- કુરઆન કરીમથી હિદાયત પ્રાપ્ત કરવા માટે તેમાં ચિંતન-મનન પર ભાર મૂકવામાં આવી રહ્યો છે અને તેની સચ્ચાઈ પારખવા માટે એક ઉસુલ પણ બતાવવામાં આવી રહ્યો છે કે જો આ કોઈ વ્યક્તિના વડે લખાયું હોત (જેવો કે કાફિરોનો ખ્યાલ છે) તો તેના વિષય અને બયાન કરેલ ઘટનાઓમાં ટકરાવ અને મતભેદો હોતા. કેમકે આ એક નાની કિતાબ નથી.