Posts

Showing posts from November 16, 2019

(2).સુરહ બકરહ:- 80,81

Image
 PART:-45 (Quran-Section)         (2)સુરહ બકરહ        આયત નં.:-80,81, ●ஜ▬▬ஜ~●~ஜ▬▬ஜ● اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيْمِ અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) _________________________ وَ قَالُوۡا لَنۡ تَمَسَّنَا النَّارُ اِلَّاۤ اَیَّامًا مَّعۡدُوۡدَۃً ؕ قُلۡ اَتَّخَذۡتُمۡ عِنۡدَ اللّٰہِ عَہۡدًا فَلَنۡ یُّخۡلِفَ اللّٰہُ عَہۡدَہٗۤ اَمۡ تَقُوۡلُوۡنَ عَلَی اللّٰہِ مَا لَا تَعۡلَمُوۡنَ ﴿۸۰﴾ 80).તેઓ કહે છે કે દોજખ (નર્ક)ની આગ અમને કદાપિ સ્પર્શશે નહીં, સિવાય કે થોડા દિવસની સજા મળે તો મળે. તેમને પૂછો, શું તમે અલ્લાહ પાસેથી કોઈ વચન લઈ લીધું છે, જેનું ઉલ્લંઘન તે કરી શકતો નથી ? કે પછી વાત એમ છે કે તમે અલ્લાહના નામે એવી વાતો કહી દો છો જેના વિષે તમને જ્ઞાન નથી તફસીર(સમજુતી):- હઝરત ઇબ્ને અબ્બાસ કહે છે કે યહૂદી લોકો કહેતા હતા કે દુનિયાની કુલ અવધિ સાત હજાર વર્ષ છે. દરેક વર્ષે ના બદલામાં એક દિવસ એટલેે માત્ર સાત દિવસ નરકમાં રહેવું પડશે યહૂદીઓની આ વાત પર આ આયત નાઝિલ થઈ તો કેટલાક યહૂદી કેહતા ચાલીસ દિવસ સુધી કેમકે તેમના બુઝુર્ગઓ એ ચાલીસ દિવસ સુધી વાછરડાની પૂ

(2).સુરહ બકરહ:-78,79

Image
PART:-44 (Quran-Section)         (2)સુરહ બકરહ        આયત નં.:-78,79, ●ஜ▬▬ஜ~●~ஜ▬▬ஜ● اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيْمِ અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) _________________________ مِنۡہُمۡ اُمِّیُّوۡنَ لَا یَعۡلَمُوۡنَ الۡکِتٰبَ اِلَّاۤ اَمَانِیَّ وَ اِنۡ ہُمۡ اِلَّا یَظُنُّوۡنَ ﴿۷۸﴾ 78).તેમનામાંથી એક બીજું જૂથ તે અભણ લોકોનું છે, જેઓ ગ્રંથનું તો જ્ઞાન ધરાવતા નથી, માત્ર પોતાની નિરાધાર આશાઓ અને ઇચ્છાઓને લઈને બેઠાં છે અને ફક્ત અટકળો ઉપર ચાલી જઈ રહ્યાંછે. તફસીર(સમજુતી):- આગળ તેમના વિદ્વાન માણસોની વાત હતી અને હવે અહીંયા તેમનામાં રહેલ અનપઢ લોકો જે કિતાબી ઈલ્મ થી અજાણ છે, પરંતુ તેઓ તેની ઇચ્છા રાખે છે.  અને ખાલી કલ્પનાઓ થી કામ ચલાવે છે અને જેમાં તેમને તેમના વિદ્વાનો દ્વારા અધુરુ શિક્ષણ અને અંધશ્રદ્ધામાં રાખ્યાં. તેઓ કેહતા ભલે અમે નર્ક માં જઈએ પણ થોડા દિવસ માટે જ અમારા વડીલો અમને માફ કરાવી લેશે વગેરે વગેરે. જેવી રીતે કે આજના મુસ્લિમોને ઉલેમાએ શુઅ એે આવા જ ફરેબ જાળમાં અને ખોટા વચનોમાં ફસાયેલા રાખ્યા છે. __________________________ فَوَیۡلٌ

(2).સુરહ બકરહ:- 76,77

Image
PART:-43 (Quran-Section)         (2)સુરહ બકરહ        આયત નં.:-76,77, ●ஜ▬▬ஜ~●~ஜ▬▬ஜ● اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيْمِ અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) _________________________ وَ اِذَا لَقُوا الَّذِیۡنَ اٰمَنُوۡا قَالُوۡۤا اٰمَنَّا ۚۖ وَ اِذَا خَلَا بَعۡضُہُمۡ اِلٰی بَعۡضٍ قَالُوۡۤا اَتُحَدِّثُوۡنَہُمۡ بِمَا فَتَحَ اللّٰہُ عَلَیۡکُمۡ لِیُحَآجُّوۡکُمۡ بِہٖ عِنۡدَ رَبِّکُمۡ ؕ اَفَلَا تَعۡقِلُوۡنَ ﴿۷۶﴾ 76).અને જ્યારે (તેઓ) જે લોકો ઈમાન લાવ્યા તેમને મળે છે, તો તેઓ કહે છે, અમે ઈમાન લાવ્યા; અને જ્યારે એમના  યહૂદી મિત્રો પાસે એકલા હોય છે ત્યારે કહે છે, શા માટે તમે તેમને (મુસલમાનોને) બતાવો છો, જે અલ્લાહ એ તમારા ઉપર (તવરાતમાં) જાહેર કર્યું? જેથી તેઓ તેને તમારા રબ સામે તમારા વિરૂદ્ધ દલીલ બનાવે, શું તમે (આટલું પણ) સમજતા નથી ? તફસીર(સમજુતી):- આ આયતમા કેટલાક યહૂદીઓની દંભી ભૂમિકા સામે આવી રહી છે કે તેઓ મુસ્લિમોમાં તેમનો ઈમાન વ્યક્ત કરશે, પરંતુ જ્યારે એક બીજા સાથે મુલાકાત કરશે ત્યારે તેઓ એકબીજાને ઠપકો આપતા હતા કે તમે મુસ્લિમોને આ પ્રકારની વાતો