Posts

Showing posts from December 31, 2019

સુરહ બકરહ 153,154

PART:-90          (Quran-Section)       (2)સુરહ બકરહ          આયત નં.:-153,154 ☘☘☘☘☘☘☘☘☘☘☘ اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيْمِ અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ يٰٓاَيُّهَا الَّذِيۡنَ اٰمَنُوا اسۡتَعِيۡنُوۡا بِالصَّبۡرِ وَالصَّلٰوةِ ؕ اِنَّ اللّٰهَ مَعَ الصّٰبِرِيۡنَ (153) 153).હે ઈમાનવાળાઓ! સબ્ર (ધૈર્ય) અને નમાઝ વડે મદદ ચાહો, અલ્લાહ (તઆલા) સબ્ર કરનારાઓને સાથ આપે છે. તફસીર(સમજુતી):- માણસની બે જ સ્થિતિ હોય છે. સુખ સુવિધા અથવા દુઃખ અને મુસીબત, સુખમાં અલ્લાહનો શુક્ર કરવા પર જોર , અને દુ:ખમાં સબ્ર અને અલ્લાહથી મદદ લેવા પર બળ છે. ☘☘☘☘☘☘☘☘☘☘☘ وَلَا تَقُوۡلُوۡا لِمَنۡ يُّقۡتَلُ فِىۡ سَبِيۡلِ اللّٰهِ اَمۡوَاتٌ ؕ بَلۡ اَحۡيَآءٌ وَّلٰـكِنۡ لَّا تَشۡعُرُوۡنَ (154) 154).અને અલ્લાહ (તઆલા)ના માર્ગમાં શહીદ થનારાઓને મુર્દા ન કહો, તેઓ જીવિત છે પરંતુ તમે નથી સમઝતા. તફસીર(સમજુતી):-  શહીદોને મુર્દા ન કહેવું તેમના માન-સન્માન માટે છે આ જિંદગી બરઝખી (આલોક-પરલોક વચ્ચેનું જીવન) છે, જેને સમજવા માટે આપણી અકલ લાચાર છે આ જિંદગી સન્માન અ

સુરહ બકરહ :- 151,152

PART:-89          (Quran-Section)       (2)સુરહ બકરહ          આયત નં.:-151,152 ☘☘☘☘☘☘☘☘☘☘☘ اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيْمِ અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ كَمَآ اَرۡسَلۡنَا فِيۡکُمۡ رَسُوۡلًا مِّنۡکُمۡ يَتۡلُوۡا عَلَيۡكُمۡ اٰيٰتِنَا وَيُزَكِّيۡکُمۡ وَيُعَلِّمُکُمُ الۡكِتٰبَ وَالۡحِکۡمَةَ وَيُعَلِّمُكُمۡ مَّا لَمۡ تَكُوۡنُوۡا تَعۡلَمُوۡنَ (151) 151).જેવી રીતે અમે તમારામાં તમારામાંથી જ રસૂલ (મુહંમદ (ﷺ))ને મોકલ્યા, જે અમારી આયતો (કુરઆન પાક) તમારા સામે પઢે છે અને તમને પવિત્ર કરે છે અને તમને કિતાબ અને હિકમત અને તે વાતોનું ઈલ્મ આપે છે જેનાથી તમે અજાણ હતા. ☘☘☘☘☘☘☘☘☘☘☘ فَاذۡكُرُوۡنِىۡٓ اَذۡكُرۡكُمۡ وَاشۡکُرُوۡا لِىۡ وَلَا تَكۡفُرُوۡنِ (152) 152).એટલા માટે મને યાદ કરો હું પણ તમને યાદ કરીશ અને મારા શુક્રગુઝાર રહો અને નાશુક્રીથી બચો. ☘☘☘☘☘☘☘☘☘☘☘