સુરહ અલ્ અન્-આમ 97,98
PART:-427 ~~~~~~~~~~~~~ આજની આયાતના વિષય ~~~~~~~~~~~~~~ ઈલ્મ અને સમજદાર લોકો માટે સ્પષ્ટ નિશાનીઓ ======================= પારા નંબર:- 07 (6)સુરહ અલ્ અન્-આમ આયત નં.:-97,98 ======================= اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️ وَهُوَ الَّذِىۡ جَعَلَ لَـكُمُ النُّجُوۡمَ لِتَهۡتَدُوۡا بِهَا فِىۡ ظُلُمٰتِ الۡبَرِّ وَالۡبَحۡرِؕ قَدۡ فَصَّلۡنَا الۡاٰيٰتِ لِقَوۡمٍ يَّعۡلَمُوۡنَ(97) (97). અને તેણે તમારા માટે તારાઓ બનાવ્યા જેથી તમે ભૂમિ અને સમુદ્રના અંધકારમાં તેના વડે રસ્તાને જાણી શકો, અને તે લોકોના માટે નિશાનીઓને રજૂ કરી દીધી છે જેઓ ઈલ્મ ધરાવે છે. તફસીર(સમજુતી):- અહીં તારાઓનો એક ફાયદો અને હેતુ બતાવવામાં આવ્યો છે અને તેના બીજા પણ બે હેતુઓ છે જેને બીજી જગ્યા પર વર્ણન કરેલ છે. આકાશોની શોભા અને શેતાનોની સજા એટલે કે જો શેતાન આકાશ પર જવાની કોશિશ કરે છે તો તેમના પર અંગારા બનીને પડે છે. ક