Posts

Showing posts from February 4, 2020

સુરહ બકરહ 223,224

PART:-124          (Quran-Section)       (2)સુરહ બકરહ         આયત નં.:-223,224                       ☘☘☘☘☘☘☘☘☘☘☘ اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيْمِ અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ نِسَآؤُكُمۡ حَرۡثٌ لَّـكُمۡ ۖ فَاۡتُوۡا حَرۡثَكُمۡ اَنّٰى شِئۡتُمۡ‌  وَقَدِّمُوۡا لِاَنۡفُسِكُمۡ‌ؕ وَاتَّقُوا اللّٰهَ وَاعۡلَمُوۡٓا اَنَّکُمۡ مُّلٰقُوۡهُ ‌ؕ وَ بَشِّرِ الۡمُؤۡمِنِيۡنَ(223) 223).તમારી પત્નીઓ તમારી ખેતી છે, પોતાની ખેતીમાં જેવી રીતે ઈચ્છો જાઓ અને પોતાના માટે(પુણ્ય) આગળ મોકલો, અલ્લાહ (તઆલા)થી ડરતા રહો, અને જાણી લો, કે તમે તેને મળવાના છો અને ઈમાનવાળાઓને ખુશખબર સંભળાવી દો. તફસીર(સમજુતી):- યહુદીઓની માન્યતા હતી કે સંબંધ કરવામાં અલગ અલગ તરીકાઓ અપનાવે તો ઔલાદ ભૈગી પૈદા થાય છે તેઓની આ માન્યતાને રદ કરવા માટે આ આયત નાઝિલ થઈ કે તમે જેવી રીતે ઈચ્છો તેવી રીતે પોતાની પત્નીઓ પાસે જાઓ પણ ઔલાદ પૈદા થવાની જગ્યાએ જ પ્રવેશ કરવો (ઈબ્ને કસીર અને ફતહુલ કદીર) અહીં ખૂબજ ટૂંકી સમજુતી રજુ કરી છે આ સિવાય પણ આ આયત વિશે અન્ય હદીષો છે જેમાં અલગ અલગ ઘટનાઓન