સુરહ આલે ઈમરાન 25,26
PART:-166 (Quran-Section) (3)સુરહ આલે ઈમરાન આયત નં.:-25,26 ☘☘☘☘☘☘☘☘☘☘☘ اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ فَكَيۡفَ اِذَا جَمَعۡنٰهُمۡ لِيَوۡمٍ لَّا رَيۡبَ فِيۡهِ وَوُفِّيَتۡ كُلُّ نَفۡسٍ مَّا كَسَبَتۡ وَهُمۡ لَا يُظۡلَمُوۡنَ(25) 25).પછી શું હાલત થશે જ્યારે તેમને અમે તે દિવસે જમા કરીશું, જેના આવવામાં કોઈ શંકા નથી, અને દરેક વ્યક્તિને પોતાની કમાણીનો બદલો આપી દેવામાં આવશે અને તેમના ઉપર જુલમ કરવામાં નહિ આવે. તફસીર(સમજુતી):- તે દિવસ એટલે કયામત ના દિવસે અને કમાણી થી મુરાદ તેણે કરેલા સારા અને ખરાબ કર્મો જે તેના મુત્યુ પછી પણ તેની સાથે જ રહેશે અને આ કર્મો નો બદલો અલ્લાહ પુરેપુરો આપશે, સહેજ પર અન્યાય નહીં કરાય. ☘☘☘☘☘☘☘☘☘☘☘ قُلِ اللّٰهُمَّ مٰلِكَ الۡمُلۡكِ تُؤۡتِى الۡمُلۡكَ مَنۡ تَشَآ...