સુરહ અલ્ માઈદહ 115,116
PART:-390 ~~~~~~~~~~~~~ આજની આયાતના વિષય ~~~~~~~~~~~~~~ (૧). અલ્લાહની જબરજસ્ત શર્ત (૨). ઈસા(અ.સ.) સાથે સવાલ જવાબ ======================= પારા નંબર:- 07 (5)સુરહ અલ્ માઈદહ આયત નં.:- 115,116 ======================= اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘️☘️ قَالَ اللّٰهُ اِنِّىۡ مُنَزِّلُهَا عَلَيۡكُمۡۚ فَمَنۡ يَّكۡفُرۡ بَعۡدُ مِنۡكُمۡ فَاِنِّىۡۤ اُعَذِّبُهٗ عَذَابًا لَّاۤ اُعَذِّبُهٗۤ اَحَدًا مِّنَ الۡعٰلَمِيۡنَ(115) (115). અલ્લાહ (તઆલા)એ કહ્યું કે, "હું તેને તમારા લોકો માટે ઉતારવાનો છું, ત્યારબાદ તમારામાંથી જે વ્યક્તિ કુફ્ર કરશે તો હું તેને એવો અઝાબ આપીશ કે એવો અઝાબ સમગ્ર દુનિયામાં કોઈને નહીં આપું.” તફસીર(સમજુતી):- "હું તેને તમારા લોકો માટે ઉતારવાનો છું" અહીં (તેને) થી મુરાદ માઈદહ(દસ્તરખ્વાન,થાળ) છે જે આસમાન થી ઉતર્યુ કે નહીં તેનો સબૂત કોઈ સહીહ હદીષ થી મળતું નથી અને ઉલ્માઓમા ઈખ્તિલાફ છે જ