સુરહ આલે ઈમરાન:-120,121
PART:-209 (Quran-Section) (3)સુરહ આલે ઈમરાન આયત નં.:-120,121 ☘☘☘☘☘☘☘☘☘☘☘ اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ اِنۡ تَمۡسَسۡكُمۡ حَسَنَةٌ تَسُؤۡهُمۡ وَاِنۡ تُصِبۡكُمۡ سَيِّئَةٌ يَّفۡرَحُوۡا بِهَا ۚ وَاِنۡ تَصۡبِرُوۡا وَتَتَّقُوۡا لَا يَضُرُّكُمۡ كَيۡدُهُمۡ شَيۡــئًا ؕ اِنَّ اللّٰهَ بِمَا يَعۡمَلُوۡنَ مُحِيۡطٌ(120) 120).તમને જો ભલાઈ મળે તો તો મળે તો તો તેમને ખરાબ લાગે છે, (હા) જો બુરાઈ પહોંચે તો ખુશ થાય છે, જો તમે સબ્ર કરો અને પરહેઝગારી કરો તો તેમની યુક્તિઓ તમને નુકસાન નહિ પહોંચાડે. અલ્લાહ (તઆલા) એ તેમના કાર્યોને ઘેરી લીધેલ છે. તફસીર(સમજુતી):- અહી મુનાફિકીનની અદાવત નુ ઝિક્ર થાય છે જ્યારે મુસલમાનોને ભલાઈ કે ખુશહાલી આવે તો તેમને દુઃખ અને જલન થાય છે અને જ્યારે મુસલમાનો તંગદસ્તીમાં સપડાય અથવા દુશ્મન ગાલિબ આવે(જેવું કે જંગે...