સુરહ આલે ઈમરાન 39,40
PART:-172 (Quran-Section) (3)સુરહ આલે ઈમરાન આયત નં.:-39,40 ☘☘☘☘☘☘☘☘☘☘☘ اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ فَنَادَتۡهُ الۡمَلٰٓئِكَةُ وَهُوَ قَآئِمٌ يُّصَلِّىۡ فِى الۡمِحۡرَابِۙ اَنَّ اللّٰهَ يُبَشِّرُكَ بِيَحۡيٰى مُصَدِّقًۢا بِكَلِمَةٍ مِّنَ اللّٰهِ وَسَيِّدًا وَّحَصُوۡرًا وَّنَبِيًّا مِّنَ الصّٰلِحِيۡنَ(39) 39).પછી ફરિશ્તાઓએ પોકાર્યું જયારે કે તે કમરામાં ઊભા રહી નમાઝ પઢી રહ્યા હતા કે અલ્લાહ (તઆલા) તને યાહ્યાની વાસ્તવિક ખુશખબર આપે છે. જે અલ્લાહ (તઆલા)ના કલમાનું સમર્થન કરવાવાળો,સરદાર, પરહેઝગાર અને નબી હશે નેક લોકોમાંથી. તફસીર(સમજુતી):- વગર મોસમના ફળો જોઈને હજરત ઝકરિયાના દિલમાં (પોતાનો બુઢાપો અને પોતાની પત્ની વાઝણી હોવા છતાં) એ ઉમ્મીદ પેદા થઈ કે કાશ અલ્લાહ તઆલા તેમને પણ આજ રીતે સ...