સુરહ બકરહ 205,206,207,208
 PART:-116           (Quran-Section)         (2)સુરહ બકરહ          આયત નં.:-205,206,                          207,208   ☘☘☘☘☘☘☘☘☘☘☘   اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيْمِ   અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)   ☘☘☘☘☘☘☘☘☘☘☘   وَاِذَا تَوَلّٰى سَعٰى فِى الۡاَرۡضِ لِيُفۡسِدَ فِيۡهَا وَيُهۡلِكَ الۡحَـرۡثَ وَالنَّسۡلَؕ وَاللّٰهُ لَا يُحِبُّ الۡفَسَادَ(205)   205).અને જ્યારે તે પાછો ફરે છે, તો જમીનમાં ફસાદ ફેલાવવા, ખેતી અને નસલની બરબાદીની કોશિશમાં લાગેલ રહે છે અને અલ્લાહ (તઆલા) ફસાદને પસંદ  નથી કરતો.   તફસીર(સમજુતી):-   ઝઈફ રીવાયત ના પ્રમાણે આ આયત એક વ્યક્તિ જેનુ નામ અખનસ બિન શરીક ષફકી જે સાહિત્યકાર હતો આપ (સ.અ.વ) ની ખિદમતમા જુઠી અલ્લાહ ની કસમ ખાઈને પોતાને મુસ્લિમ કહેતો અને ત્યાંથી પાછો ફરે તો ફસાદ ફેલાવવાના કામ કરતો પણ હકીકતમાં બધા જ મુનાફિકો આવા જ હતાં   ☘☘☘☘☘☘☘☘☘☘☘   وَاِذَا قِيۡلَ لَهُ اتَّقِ اللّٰهَ اَخَذَتۡهُ الۡعِزَّةُ بِالۡاِثۡمِ فَحَسۡ...