સુરહ અલ્ માઈદહ 111,112
PART:-388 ~~~~~~~~~~~~~ આજની આયાતના વિષય ~~~~~~~~~~~~~~ આકાશમાંથી એક થાળ ઉતારવાની માંગણી ======================= પારા નંબર:- 07 (5)સુરહ અલ્ માઈદહ આયત નં.:- 111,112 ======================= اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘️☘️ وَ اِذۡ اَوۡحَيۡتُ اِلَى الۡحَـوَارِيّٖنَ اَنۡ اٰمِنُوۡا بِىۡ وَبِرَسُوۡلِىۡۚ قَالُوۡۤا اٰمَنَّا وَاشۡهَدۡ بِاَنَّـنَا مُسۡلِمُوۡنَ(111) (111). અને જ્યારે કે મેં હવારિયોને પ્રેરણા આપી કે તમે મારા પર અને મારા રસૂલો પર ઈમાન લાવો, તેમણે કહ્યું, "અમે ઈમાન લાવ્યા અને તમે ગવાહ રહેજો કે અમે પૂરી રીતે ફરમાબરદાર છીએ.” તફસીર(સમજુતી):- "હવારી" થી આશય ઈસા ના તે માનવાવાળા જે તેમની પર ઈમાન લાવ્યા અને તેમના સાથી તથા મદદગાર બન્યા તેમની સંખ્યા બાર બતાવવામાં આવી છે. અહીં "વહી" થી આશય તે વહી નથી જે ફરિશ્તાઓ વડે રસૂલો પર ઉતરતી હતી, બલ્કે ‘મનમાં નાખવાના' મતલબમા