Posts

Showing posts from September 4, 2020

સુરહ અન્-નિસા 174,175

PART:-333                    ~~~~~~~~~~~~~          આજની આયાતના વિષય           ~~~~~~~~~~~~~~              હક્કાનિયત ની દલીલ                                    =======================                        પારા નંબર:- 06             (4)સુરહ અન્-નિસા          આયત નં.:-174,175 ======================= اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ يٰۤـاَيُّهَا النَّاسُ قَدۡ جَآءَكُمۡ بُرۡهَانٌ مِّنۡ رَّبِّكُمۡ وَاَنۡزَلۡنَاۤ اِلَيۡكُمۡ نُوۡرًا مُّبِيۡنًا‏(174) (174).હે લોકો! તમારા પાસે તમારા પાલનહારના તરફથી દલીલ આવી ચૂકી છે, અને અમે તમારા તરફ નૂર (પવિત્ર કુરઆન) ઉતારી દીધું છે.” તફસીર(સમજુતી):- બુરહાનનો મતલબ છે એવી દલીલ જેના પછી કોઈને બહાનાનો કોઈ મોકો ન રહે, એવી યુક્તિ જેનાથી દરેક પ્રકારની શંકાઓ ખતમ થઈ જાય એટલા માટે તેને આગળ આસમાની નૂર કહે છે. તેનાથી આશય પવિત્ર કુરઆન છે જે કુફ્ર અને શિર્કના અંધકારમાં રોશની છે, ગુમરાહીની પગદંડીઓ પર સીધો માર્ગ અને અલ્લાહ તઆલાની મજબૂત રસ્સી છે એટલા માટે તેના હિસાબ

સુરહ અન્-નિસા 172,173

PART:-332                    ~~~~~~~~~~~~~          આજની આયાતના વિષય           ~~~~~~~~~~~~~~            મસીહ અલ્લાહ ના બંદા છે                                    =======================                        પારા નંબર:- 06             (4)સુરહ અન્-નિસા          આયત નં.:-172,173 ======================= اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ لَنۡ يَّسۡتَـنۡكِفَ الۡمَسِيۡحُ اَنۡ يَّكُوۡنَ عَبۡدًا لِّـلَّـهِ وَلَا الۡمَلٰٓئِكَةُ الۡمُقَرَّبُوۡنَ‌ؕ وَمَنۡ يَّسۡتَـنۡكِفۡ عَنۡ عِبَادَ تِهٖ وَيَسۡتَكۡبِرۡ فَسَيَحۡشُرُهُمۡ اِلَيۡهِ جَمِيۡعًا(172) (172).મસીહ અલ્લાહના બંદા હોવાથી કદી પણ નફરત કરતા ન હતા અને ન નજીકના ફરિશ્તાઓ અને જો કોઈ અલ્લાહની બંદગીથી નફરત અને ઘમંડ કરશે, તો તે બધાને પોતાના તરફ જમા કરશે. તફસીર (સમજુતી):- હજરત ઈસાની જેમ કેટલાક લોકોએ ફરિશ્તાઓને પણ અલ્લાહના ભાગીદાર બનાવી રાખ્યા હતા. અલ્લાહ તઆલા ફરમાવે છે આ બધા અલ્લાહના બંદા છે અને આનાથી તેમને કદી કોઈ ઈન્કાર નથી, તમે એમને અલ્લાહ અથવા