Posts

Showing posts from June 2, 2020

સુરહ આલે ઈમરાન 189,190

PART:-242          (Quran-Section)       (3)સુરહ આલે ઈમરાન         આયત નં.:-189,190                                            ☘☘☘☘☘☘☘☘☘☘☘                        اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ وَلِلّٰهِ مُلۡكُ السَّمٰوٰتِ وَالۡاَرۡضِ‌ؕ وَاللّٰهُ عَلٰى كُلِّ شَىۡءٍ قَدِيۡرٌ(189) 189).અને આકાશો તથા ધરતીનો માલિક અલ્લાહ(તઆલા) જ છે અને અલ્લાહ (તઆલા) દરેક વસ્તુ પર કુદરત (વર્ચસ્વ) ધરાવે છે. ☘☘☘☘☘☘☘☘☘☘☘ اِنَّ فِىۡ خَلۡقِ السَّمٰوٰتِ وَالۡاَرۡضِ وَاخۡتِلَافِ الَّيۡلِ وَالنَّهَارِ لَاٰيٰتٍ لِّاُولِى الۡاَلۡبَابِ(190) 190).બેશક આકાશો અને ધરતીને બનાવવામાં અને દિવસ-રાતની અદલા-બદલીમાં ખરેખર અકલવાળાઓ માટે નિશાનીઓ છે.

સુરહ આલે ઈમરાન 187,188

PART:-241          (Quran-Section)       (3)સુરહ આલે ઈમરાન         આયત નં.:-187,188                                            ☘☘☘☘☘☘☘☘☘☘☘                        اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ وَاِذۡ اَخَذَ اللّٰهُ مِيۡثَاقَ الَّذِيۡنَ اُوۡتُوۡا الۡكِتٰبَ لَتُبَيِّنُنَّهٗ لِلنَّاسِ وَلَا تَكۡتُمُوۡنَهٗ فَنَبَذُوۡهُ وَرَآءَ ظُهُوۡرِهِمۡ وَ اشۡتَرَوۡا بِهٖ ثَمَنًا قَلِيۡلًاؕ فَبِئۡسَ مَا يَشۡتَرُوۡنَ(187) 187).અને જ્યારે અલ્લાહે કિતાબવાળાઓથી વચન લીધું કે તમે તેને બધા લોકો પાસે જરૂર વર્ણન કરશો અને તેને છુપાવશો નહિં, પછી પણ તે લોકોએ તે વચનને પીઠ પાછળ નાખી દીધું અને તેને ઘણી ઓછી કિંમતમાં વેચી નાખ્યું, તેમનો આ વેપાર ઘણો ખરાબ છે. તફસીર(સમજુતી):- આમાં એહલે કિતાબને કહેવામાં આવે છે કે અલ્લાહે તેમની પાસેથી વચન લીધું કે જે વાતો તૌરાત અને ઈન્જીલમાં છે,એટલે કે આખરી નબી વિષેની નિશાનીઓ છે તે વિશે લોકોને સાચું કહેજો પરંતુ તેઓએ દુનિયાનો ફાયદો હાસિલ કરવા તેને બદલી નાખી અને તે વચનને પીઠ પાછળ નાખી દીધું

સુરહ આલે ઈમરાન 185,186

PART:-240          (Quran-Section)       (3)સુરહ આલે ઈમરાન         આયત નં.:-185,186                                            ☘☘☘☘☘☘☘☘☘☘☘                        اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ كُلُّ نَفۡسٍ ذَآئِقَةُ الۡمَوۡتِ‌ؕ وَاِنَّمَا تُوَفَّوۡنَ اُجُوۡرَكُمۡ يَوۡمَ الۡقِيٰمَةِ‌ؕ فَمَنۡ زُحۡزِحَ عَنِ النَّارِ وَاُدۡخِلَ الۡجَـنَّةَ فَقَدۡ فَازَ ‌ؕ وَمَا الۡحَيٰوةُ الدُّنۡيَاۤ اِلَّا مَتَاعُ الۡغُرُوۡرِ‏(185) 185).દરેક જીવને મોતની મજા ચાખવાની જ છે અને કયામતના દિવસે તમને પૂરેપૂરો બદલો આપી દેવામાં આવશે, પરંતુ જે વ્યક્તિ આગથી હટાવી દેવામાં આવ્યો અને જન્નતમાં દાખલ કરી દેવામાં આવ્યો, બેશક તે સફળ થઈ ગયો અને દુનિયાની જિંદગી ફક્ત ધોખાનો સામાન છે તફસીર(સમજુતી):- આ આયતમાં એક અટલ હકીકતનું વર્ણન છે કે મૃત્યુથી કોઈ ભાગી શકતું નથી. બીજુ એ કે દુનિયામાં જેણેે પણ સારૂ કે ખરાબ જે કંઈ કર્યું છે તેનો તેને પૂરેપૂરો બદલો આપવામાં આવશે. ત્રીજું કામયાબીની હદ બતાવવામાં આવી છે કે હકીકતમાં કામયાબ તે છે જેણે