સુરહ આલે ઈમરાન 27,28
PART:-167 (Quran-Section) (3)સુરહ આલે ઈમરાન આયત નં.:-27,28 ☘☘☘☘☘☘☘☘☘☘☘ اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ تُوۡلِجُ الَّيۡلَ فِى النَّهَارِ وَتُوۡلِجُ النَّهَارَ فِى الَّيۡلِ ۖوَتُخۡرِجُ الۡحَـىَّ مِنَ الۡمَيِّتِ وَتُخۡرِجُ الۡمَيِّتَ مِنَ الۡحَـىِّ ۖ وَتَرۡزُقُ مَنۡ تَشَآءُ بِغَيۡرِ حِسَابٍ(27) 27).તું જ રાત્રિને દિવસમાં દાખલ કરે છે અને દિવસને રાત્રિમાં દાખલ કરે છે, તું જ નિર્જીવમાંથી સજીવને પેદા કરે છે, અને સજીવમાંથી નિર્જીવને પેદા કરે છે, તુ જ છે કે જેને ઈચ્છે છે બેહિસાબ રોજી આપે છે. તફસીર(સમજુતી):- રાત્રિને દિવસમાં અને દિવસને રાત્રિમાં દાખલ કરવાનો મતલબ મોસમને બદલવાનું છે. એક મોસમમાં રાત્રિ લાંબી હોય છે તો દિવસ ટૂંકો અને બીજા મોસમમાં રાત્રિ ટૂંકી અને દિવસ લાંબો હોય છ...