સુરહ આલે ઈમરાન 27,28

PART:-167
         (Quran-Section)

      (3)સુરહ આલે ઈમરાન
        આયત નં.:-27,28             
                       
☘☘☘☘☘☘☘☘☘☘☘

اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم

અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)

☘☘☘☘☘☘☘☘☘☘☘

تُوۡلِجُ الَّيۡلَ فِى النَّهَارِ وَتُوۡلِجُ النَّهَارَ فِى الَّيۡلِ‌  ۖوَتُخۡرِجُ الۡحَـىَّ مِنَ الۡمَيِّتِ وَتُخۡرِجُ الۡمَيِّتَ مِنَ الۡحَـىِّ‌ ۖ وَتَرۡزُقُ مَنۡ تَشَآءُ بِغَيۡرِ حِسَابٍ(27)

27).તું જ રાત્રિને દિવસમાં દાખલ કરે છે અને દિવસને રાત્રિમાં દાખલ કરે છે, તું જ નિર્જીવમાંથી સજીવને
પેદા કરે છે, અને સજીવમાંથી નિર્જીવને પેદા કરે છે, તુ જ છે કે જેને ઈચ્છે છે બેહિસાબ રોજી આપે છે.

તફસીર(સમજુતી):-

રાત્રિને દિવસમાં અને દિવસને રાત્રિમાં દાખલ કરવાનો મતલબ મોસમને બદલવાનું છે. એક મોસમમાં રાત્રિ લાંબી હોય છે તો
દિવસ ટૂંકો અને બીજા મોસમમાં રાત્રિ ટૂંકી અને દિવસ લાંબો હોય છે એટલે કે ક્યારેક રાત્રિનો ભાગ દિવસમાં અને દિવસનો ભાગ રાત્રિમાં દાખલ કરી દે છે, જેનાથી રાત્રિ અને દિવસ નાના-મોટા થઈ જાય છે.

 જેમ કે પહેલા વીર્ય માણસમાંથી નીકળે છે અને પછી તે નિર્જીવ (વીર્ય)થી માણસ, તે જ રીતે નિર્જીવ ઈડામાંથી જીવિત મરઘી
અને પછી જીવિત મરધીમાંથી નિર્જીવ ઈંડા અથવા મોમિનમાંથી કાફિર અને કાફિરમાંથી મોમિન પેદા કરે છે.

☘☘☘☘☘☘☘☘☘☘☘

لَا يَتَّخِذِ الۡمُؤۡمِنُوۡنَ الۡكٰفِرِيۡنَ اَوۡلِيَآءَ مِنۡ دُوۡنِ الۡمُؤۡمِنِيۡنَ‌ۚ وَمَنۡ يَّفۡعَلۡ ذٰ لِكَ فَلَيۡسَ مِنَ اللّٰهِ فِىۡ شَىۡءٍ اِلَّاۤ اَنۡ تَتَّقُوۡا مِنۡهُمۡ تُقٰٮةً  ؕ وَيُحَذِّرُكُمُ اللّٰهُ نَفۡسَهٗ‌ ؕوَاِلَى اللّٰهِ الۡمَصِيۡرُ(28)

28).મોમીનોને જોઈએ કે ઈમાનવાળાઓને છોડીને
કાફિરોને પોતાના દોસ્ત ન બનાવે, અને જે આવું કરશે તે અલ્લાહ (તઆલા)ના તરફેણમાં નથી, પરંતુ
એ કે તેમના (ડરથી) કોઈ પ્રકારની સુરક્ષાનો ઈરાદો હોય, અને અલ્લાહ (તઆલા) તમને પોતાનાથી ડરાવી રહ્યો છે અને અલ્લાહ (તઆલા) તરફ પાછા
ફરવાનું છે.

Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92