Posts

Showing posts from March 2, 2020

સુરહ બકરહ 279,280

PART:-152          (Quran-Section)        (2)સુરહ બકરહ         આયત નં.:-279,280                                       ☘☘☘☘☘☘☘☘☘☘☘ اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيْمِ અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ فَاِنۡ لَّمۡ تَفۡعَلُوۡا فَاۡذَنُوۡا بِحَرۡبٍ مِّنَ اللّٰهِ وَرَسُوۡلِهٖ‌ۚ وَاِنۡ تُبۡتُمۡ فَلَـكُمۡ رُءُوۡسُ اَمۡوَالِكُمۡ‌ۚ لَا تَظۡلِمُوۡنَ وَلَا تُظۡلَمُوۡنَ(279) 279).જો આમ નહિં કરો તો અલ્લાહ (તઆલા) અને તેના રસૂલથી લડવા માટે તૈયાર થઈ જાઓ. અને જો માફી માંગી લો તો તમારો અસલ માલ તમારો જ છે, ન તમે જુલમ કરો અને ન તમારા પર જુલમ કરવામાં આવે. તફસીર(સમજુતી):- આ એવી કડક ચેતવણી છે કે જે કોઈ બીજા ગુનાહ કરવા પર નથી આપી, એટલા માટે હજરત અબ્બાસના પુત્ર અબ્દુલ્લાહે કહ્યું કે જે માણસ ઈસ્લામી મુલ્કમાં વ્યાજ છોડવા માટે તૈયાર ન હોય તો તે સમયના હાકિમની જવાબદારી છે કે તેને તૌબા કરાવે (કેમ કે તે અલ્લાહ અને રસૂલથી જંગનું એલાન કરી રહ્યો છે) અને ન રોકાવાની સ્થિતિમાં તેની ગર્દન ઉડાવી દે. (ઈબ્ને કસીર) તમે જો અસલ માલથી વધારે માલ વસૂલ