સુરહ બકરહ 279,280
PART:-152
(Quran-Section)
(Quran-Section)
(2)સુરહ બકરહ
આયત નં.:-279,280
☘☘☘☘☘☘☘☘☘☘☘
આયત નં.:-279,280
☘☘☘☘☘☘☘☘☘☘☘
اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيْمِ
અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)
☘☘☘☘☘☘☘☘☘☘☘
فَاِنۡ لَّمۡ تَفۡعَلُوۡا فَاۡذَنُوۡا بِحَرۡبٍ مِّنَ اللّٰهِ وَرَسُوۡلِهٖۚ وَاِنۡ تُبۡتُمۡ فَلَـكُمۡ رُءُوۡسُ اَمۡوَالِكُمۡۚ لَا تَظۡلِمُوۡنَ وَلَا تُظۡلَمُوۡنَ(279)
279).જો આમ નહિં કરો તો અલ્લાહ (તઆલા) અને તેના રસૂલથી લડવા માટે તૈયાર થઈ જાઓ. અને જો માફી માંગી લો તો તમારો અસલ માલ તમારો જ છે, ન તમે જુલમ કરો અને ન તમારા પર જુલમ કરવામાં આવે.
તફસીર(સમજુતી):-
આ એવી કડક ચેતવણી છે કે જે કોઈ બીજા ગુનાહ કરવા પર નથી આપી, એટલા માટે હજરત અબ્બાસના પુત્ર અબ્દુલ્લાહે કહ્યું કે જે માણસ ઈસ્લામી મુલ્કમાં વ્યાજ છોડવા માટે તૈયાર ન હોય તો તે સમયના હાકિમની જવાબદારી છે કે તેને તૌબા કરાવે (કેમ કે તે અલ્લાહ અને રસૂલથી જંગનું એલાન કરી રહ્યો છે) અને ન રોકાવાની સ્થિતિમાં તેની ગર્દન ઉડાવી દે. (ઈબ્ને કસીર)
તમે જો અસલ માલથી વધારે માલ વસૂલ કરશો, તો એ તમારો જુલમ હશે અને જો તમને અસલ માલ ન આપવામાં આવે તો તે તમારા પર જુલમ થશે.
☘☘☘☘☘☘☘☘☘☘☘
وَاِنۡ كَانَ ذُوۡ عُسۡرَةٍ فَنَظِرَةٌ اِلٰى مَيۡسَرَةٍ ؕ وَاَنۡ تَصَدَّقُوۡا خَيۡرٌ لَّـكُمۡ اِنۡ كُنۡتُمۡ تَعۡلَمُوۡنَ(280)
280).અને જો કોઈ ગરીબ હોય તો તેને સગવડ થાય ત્યાં સુધી મોહલત આપો, અને સદકો (દાન)
કરી દો તો તમારા માટે વધારે સારૂ છે, જો તમારામાં ઈલ્મ હોય.
કરી દો તો તમારા માટે વધારે સારૂ છે, જો તમારામાં ઈલ્મ હોય.