સુરહ અન્-નિસા 142,143
PART:-318 પારા નંબર:- 05 (4)સુરહ અન્-નિસા આયત નં.:-142,143 ☘☘☘☘☘☘☘☘☘☘☘ આજની આયાતના વિષય ~~~~~~~~~~~~~~ મુનાફિકોની ચાલ અને ફરેબ ☘☘☘☘☘☘☘☘☘☘☘ اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ اِنَّ الۡمُنٰفِقِيۡنَ يُخٰدِعُوۡنَ اللّٰهَ وَهُوَ خَادِعُوْهُمۡ ۚ وَاِذَا قَامُوۡۤا اِلَى الصَّلٰوةِ قَامُوۡا كُسَالٰى ۙ يُرَآءُوۡنَ النَّاسَ وَلَا يَذۡكُرُوۡنَ اللّٰهَ اِلَّا قَلِيۡلًا(142) (142). બેશક મુનાફિકો અલ્લાહ (તઆલા)થી છેતરપિંડી કરી રહ્યા છે, અને તે તેમને તેમની છેતરપિંડીનો બદલો આપવાવાળો છે, અને જ્યારે નમાઝ માટે ઊભા થાય છે, તો ઘણી સુસ્તીની હાલતમાં ઊભા થાય છે, ફક્ત લોકોને દેખાડે છે અને અલ્લાહનો ઝિક્ર ઘણો ઓછો કરે છે. તફસીર(સમજુતી):- નમાઝ ઈસ્લામનો ખાસ અરમાન છે અને સૌથી મોટો અમલ છે અને તેમાં પણ તેઓ આળસ અને સુસ્તીનો દેખાવ કરતા હતા. કેમ કે તેમના દિલ ઈમાન અને અલ્લાહનો ડર તથા પવિત્રતાથી વંચિત હતા. આ જ કારણ હતું કે ઈશા અને ફજ