સુરહ અન્-નિસા 164,165
PART:-328 ~~~~~~~~~~~~~ આજની આયાતના વિષય ~~~~~~~~~~~~~~ રસૂલો ખુશખબર આપનાર અને ખબરદાર કરનાર છે ======================= પારા નંબર:- 06 (4)સુરહ અન્-નિસા આયત નં.:-164,165 ======================= اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ وَرُسُلًا قَدۡ قَصَصۡنٰهُمۡ عَلَيۡكَ مِنۡ قَبۡلُ وَرُسُلًا لَّمۡ نَقۡصُصۡهُمۡ عَلَيۡكَ ؕ وَكَلَّمَ اللّٰهُ مُوۡسٰى تَكۡلِيۡمًا(164) (164).અને તમારા પહેલાના ઘણા રસૂલોના કિસ્સાઓ અમે તમને વર્ણન કર્યા છે, અને ઘણા રસૂલોના નથી પણ કર્યા, અને મૂસાથી અલ્લાહે સીધી વાત કરી. તફસીર(સમજુતી):- જે રસૂલોના નામ અને તેમના કિસ્સાઓ કુરઆનમાં આવ્યા છે તેમની સંખ્યા 25 છે. (I) આદમ, (2) ઈદરીસ, (3) નૂહ, (4) હૂદ, (5) સ્વાલેહ, (6) ઈબ્રાહીમ, (7) લૂત, (8) ઈસ્માઈલ, (9) ઈસહાક, (10) યાકૂબ, (11).યુસુફ, (12) અય્યુબ, (13) સુએબ, (14) મૂસા, (15) હારૂન, (16) યુનુસ,