Posts

Showing posts from May 22, 2020

સુરહ આલે ઈમરાન 169,170

PART:-232          (Quran-Section)       (3)સુરહ આલે ઈમરાન         આયત નં.:-169,170                                            ☘☘☘☘☘☘☘☘☘☘☘                        اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ وَلَا تَحۡسَبَنَّ الَّذِيۡنَ قُتِلُوۡا فِىۡ سَبِيۡلِ اللّٰهِ اَمۡوَاتًا ‌ؕ بَلۡ اَحۡيَآءٌ عِنۡدَ رَبِّهِمۡ يُرۡزَقُوۡنَۙ(169) 169).અને જે લોકો અલ્લાહના માર્ગમાં માર્યા ગયા તેઓને મૃત ન સમજો પરંતુ તેઓ જીવિત છે, પોતાના રબને ત્યાં રોજી મેળવી રહ્યા છે. તફસીર(સમજુતી):- શહીદોની આ જિંદગી વાસ્તવિક છે કે કાલ્પનિક ? બેશક વાસ્તવિક છે, પરંતુ તેનું ઈલ્મ દુનિયાવાળાઓને નથી, જેવું કે કુરઆને સ્પષ્ટ કહી દીધું છે (જુઓ સૂરઃ અલ બકરહ-૧૫૪) પછી આ જિંદગીનો મતલબ શું છે ? કેટલાક કહે છે કબરોમાં તેમની રૂહો (આત્મા) પાછી મોકલી દેવામાં આવે છે અને તેઓ અલ્લાહની આપેલ ને'મતો મેળવીને ખુશ થાય છે, કેટલાક કહે છે જન્નતના ફળોની ખુશબુ તેમને આવે છે, જેનાથી તેમની પવિત્ર આત્મા(પાક રૂહો) મગ્ન રહે છે, પરંતુ હદીસથી એક ત્રીજી સ્થિતિ સામે આવ

સુરહ આલે ઈમરાન 167,168

PART:-231          (Quran-Section)       (3)સુરહ આલે ઈમરાન         આયત નં.:-167,168                                            ☘☘☘☘☘☘☘☘☘☘☘                        اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ وَلِيَعۡلَمَ الَّذِيۡنَ نَافَقُوۡا  ۖۚ وَقِيۡلَ لَهُمۡ تَعَالَوۡا قَاتِلُوۡا فِىۡ سَبِيۡلِ اللّٰهِ اَوِ ادۡفَعُوۡا ‌ۚ قَالُوۡا لَوۡ نَعۡلَمُ قِتَالًا لَّا تَّبَعۡنٰكُمۡ‌ؕ هُمۡ لِلۡكُفۡرِ يَوۡمَئِذٍ اَقۡرَبُ مِنۡهُمۡ لِلۡاِيۡمَانِ‌ۚ يَقُوۡلُوۡنَ بِاَفۡوَاهِهِمۡ مَّا لَيۡسَ فِىۡ قُلُوۡبِهِمۡ‌ؕ وَاللّٰهُ اَعۡلَمُ بِمَا يَكۡتُمُوۡنَ‌ۚ(167) 167).અને મુનાફિકોને જાણી લે જેમનાથી કહેવામાં આવ્યું કે આવો અલ્લાહના માર્ગમાં લડો અથવા હુમલાથી બચાવ કરો તો તેઓએ કહ્યું કે જો અમે જાણતા કે લડાઈ થશે તો જરૂર તમારો સાથ આપતા, તેઓ તે દિવસે ઈમાનની સરખામણીમાં કુફની નજીક હતા, પોતાના મોંઢાથી એવી વાત કરી રહ્યા હતા જે તેમના દિલોમાં ન હતી, અને અલ્લાહ તેને જાણે છે જેને તેઓ છુપાવે છે. ☘☘☘☘☘☘☘☘☘☘☘ اَلَّذِيۡنَ قَالُوۡا لِاِخۡوَان

સુરહ આલે ઈમરાન 165,166

PART:-230          (Quran-Section)       (3)સુરહ આલે ઈમરાન         આયત નં.:-165,166                                            ☘☘☘☘☘☘☘☘☘☘☘                        اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ اَوَلَمَّاۤ اَصَابَتۡكُمۡ مُّصِيۡبَةٌ قَدۡ اَصَبۡتُمۡ مِّثۡلَيۡهَا ۙ قُلۡتُمۡ اَنّٰى هٰذَا‌ؕ قُلۡ هُوَ مِنۡ عِنۡدِ اَنۡفُسِكُمۡ ‌ؕ اِنَّ اللّٰهَ عَلٰى كُلِّ شَىۡءٍ قَدِيۡرٌ(165) 165). (શું વાત છે) કે જ્યારે તમારા પર એક મુસીબત પહોંચી તેનાથી બમણી તમે તેઓને પહોંચાડી છે તો તમે કહ્યું કે આ ક્યાંથી આવી (હે રસુલ) તમે કહી દો કે આ તમે પોતે પોતાના ઉપર નાખી છે, બેશક દરેક વસ્તુ પર અલ્લાહ કુદરત ધરાવે છે. તફસીર(સમજુતી):- એટલે કે ઓહદની લડાઈમાં સીત્તેર મુસલમાન શહીદ થયા તો તમે પણ બદ્રની લડાઈમાં સીત્તેર કાફિર કત્લ કર્યા અને સીત્તેર જેટલાને કૈદી બનાયા હતાં "અને પોતે પોતાના ઉપર નાખી છે" નો મતલબ કે ઓહદ ની લડાઈમાં જયારે તમને મોરચા બંદી માટે પહાડી પર ઉભું રહેવાનું કહ્યું તો તમે રસુલ( ﷺ) ની નાફરમાની કરીને ત