સુરહ અલ્ માઈદહ 94,95
PART:-380 ~~~~~~~~~~~~~ આજની આયાતના વિષય ~~~~~~~~~~~~~~ ઈમ્તિહાન કે આજમાઈશ ======================= પારા નંબર:- 07 (5)સુરહ અલ્ માઈદહ આયત નં.:- 94,95 ======================= اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘️☘️ يٰۤـاَيُّهَا الَّذِيۡنَ اٰمَنُوۡا لَيَبۡلُوَنَّكُمُ اللّٰهُ بِشَىۡءٍ مِّنَ الصَّيۡدِ تَنَالُـهٗۤ اَيۡدِيۡكُمۡ وَ رِمَاحُكُمۡ لِيَـعۡلَمَ اللّٰهُ مَنۡ يَّخَافُهٗ بِالۡـغَيۡبِ ۚ فَمَنِ اعۡتَدٰى بَعۡدَ ذٰ لِكَ فَلَهٗ عَذَابٌ اَ لِيۡمٌ(94) (94). અય ઈમાનવાળાઓ! અલ્લાહ (તઆલા) કેટલાક શિકાર વડે તમારી પરીક્ષા કરે છે, જેમના સુધી તમારા હાથ અને તમારા ભાલા પહોંચી શકશે, જેથી અલ્લાહ(તઆલા) જાણી લે કે કયો વ્યક્તિ તેને જોયા વગર તેનાથી ડરે છે, જે વ્યક્તિ આના પછી હદથી આગળ વધી જશે તેના માટે સખત સજા છે. તફસીર(સમજુતી):- શિકાર અરબોની જિંદગી ગુજારવાનો એક ખાસ જરીઓ હતો, એટલા માટે અહેરામની હાલતમાં તેને હરામ