Posts

Showing posts from June 10, 2020

સુરહ અન્-નિસા 3

PART:-250          (Quran-Section)      (4)સુરહ અન્-નિસા           આયત નં.:-3  ☘☘☘☘☘☘☘☘☘☘☘                        اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ وَاِنۡ خِفۡتُمۡ اَلَّا تُقۡسِطُوۡا فِى الۡيَتٰمٰى فَانْكِحُوۡا مَا طَابَ لَـكُمۡ مِّنَ النِّسَآءِ مَثۡنٰى وَثُلٰثَ وَرُبٰعَ‌ ‌ۚ فَاِنۡ خِفۡتُمۡ اَلَّا تَعۡدِلُوۡا فَوَاحِدَةً اَوۡ مَا مَلَـكَتۡ اَيۡمَانُكُمۡ‌ ؕ ذٰ لِكَ اَدۡنٰٓى اَلَّا تَعُوۡلُوۡا(3) 3).અને જો તમને ડર હોય કે અનાથ છોકરીઓથી નિકાહ કરીને તમે ન્યાય નહિં કરી શકો તો બીજી સ્ત્રીઓમાં જે તમને સારી લાગે તમે તેમનાથી નિકાહ કરી લો, બે-બે, ત્રણ-ત્રણ, ચાર-ચાર, પરંતુ જો ન્યાય ન રાખી શકવાનો ડર છે તો એક જ પૂરતી છે અથવા તમારા કબ્જાની દાસીઓ વધારે નજદીક છે કે (આવુ કરવાથી અન્યાય અને) એક તરફ ઝૂકી જવાથી બચો. તફસીર(સમજુતી):- એટલે કે એક જ સ્ત્રી સાથે નિકાહ કરવામાં ભલાઈ છે, કેમ કે એકથી વધારે પત્નીઓ રાખવાની સ્થિતિમાં બધાની સાથે ન્યાય કરવો મુશ્કેલ છે. જેની ત૨ફ દિલની મોહબ્બત વધારે હશે તેની તરફ જીવન-સામગ્રી

સુરહ અન્-નિસા 2

PART:-249          (Quran-Section)      (4)સુરહ અન્-નિસા           આયત નં.:-2  ☘☘☘☘☘☘☘☘☘☘☘                        اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ وَاٰ تُوا الۡيَتٰمٰٓى اَمۡوَالَهُمۡ‌ وَلَا تَتَبَدَّلُوا الۡخَبِيۡثَ بِالطَّيِّبِ ۖ وَلَا تَاۡكُلُوۡۤا اَمۡوَالَهُمۡ‌ اِلٰٓى اَمۡوَالِكُمۡ‌ؕ اِنَّهٗ كَانَ حُوۡبًا كَبِيۡرًا‏‏(2) (2).અને અનાથોને તેમનો માલ આપી દો અને પવિત્રને બદલે અપવિત્ર ન લો અને પોતાના માલમા ભેળવીને તેમનો માલ ન ખાઓ, બેશક આ મોટો ગુનોહ છે. તફસીર(સમજુતી):- યતીમોની સરપરસ્તી અને યતીમોનો હક એટલે કે યતીમ બાળકો જ્યારે બાલીગ અને સમજદાર થઈ જાય તો જે માલ અમાનત તરીકે તમારી પાસે રાખેલ છે તેને તે જ સ્થિતિમાં આપી દો તેમાં વધારો કે ઘટાડો ન કરો અને પોતાના માલ સાથે મિલાવીને પણ ન ખાઓ