સુરહ અલ્ અન્-આમ 31,32
PART:-401 ~~~~~~~~~~~~~ આજની આયાતના વિષય ~~~~~~~~~~~~~~ પોતાનો બોજ પોતાની પીઠો ઉપર હશે ======================= પારા નંબર:- 07 (6)સુરહ અલ્ અન્-આમ આયત નં.:-31,32 ======================= اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘️☘️ قَدۡ خَسِرَ الَّذِيۡنَ كَذَّبُوۡا بِلِقَآءِ اللّٰهِؕ حَتّٰٓى اِذَا جَآءَتۡهُمُ السَّاعَةُ بَغۡتَةً قَالُوۡا يٰحَسۡرَتَنَا عَلٰى مَا فَرَّطۡنَا فِيۡهَا ۙ وَهُمۡ يَحۡمِلُوۡنَ اَوۡزَارَهُمۡ عَلٰى ظُهُوۡرِهِمۡؕ اَلَا سَآءَ مَا يَزِرُوۡنَ(31) (31). બેશક તે લોકો નુક્સાનમાં પડ્યા જેમણે અલ્લાહની મુલાકાતને જૂઠાડી, ત્યાં સુધી કે જયારે તે નક્કી સમય તેમના પર અચાનક આવી પડશે, કહેશે કે, “હાય અફસોસ! અમારી સુસ્તી પર જે આના બારામાં થઈ" અને તેમની હાલત એવી હશે કે પોતાના બોજ પોતાની પીઠો ઉપર લાદેલા હશે, ખબરદાર! તેઓ ખરાબ બોજ લાદશે. તફસીર(સમજુતી):- જે કાફિર લોકો અલ્લાહની મુલાકાત નો ઈનકાર કરતાં હત