સુરહ અલ્ માઈદહ 64
PART:-366
~~~~~~~~~~~~~
આજની આયાતના વિષય
~~~~~~~~~~~~~~
યહુદીઓ ની બકવાસ
=======================
પારા નંબર:- 06
(5)સુરહ અલ્ માઈદહ
આયત નં.:- 64
=======================
اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم
અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)
☘☘☘☘☘☘☘☘☘☘️☘️
وَقَالَتِ الۡيَهُوۡدُ يَدُ اللّٰهِ مَغۡلُوۡلَةٌ ؕ غُلَّتۡ اَيۡدِيۡهِمۡ وَلُعِنُوۡا بِمَا قَالُوۡا ۘ بَلۡ يَدٰهُ مَبۡسُوۡطَتٰنِ ۙ يُنۡفِقُ كَيۡفَ يَشَآءُ ؕ وَلَيَزِيۡدَنَّ كَثِيۡرًا مِّنۡهُمۡ مَّاۤ اُنۡزِلَ اِلَيۡكَ مِنۡ رَّبِّكَ طُغۡيَانًا وَّكُفۡرًا ؕ وَاَ لۡقَيۡنَا بَيۡنَهُمُ الۡعَدَاوَةَ وَالۡبَغۡضَآءَ اِلٰى يَوۡمِ الۡقِيٰمَةِ ؕ كُلَّمَاۤ اَوۡقَدُوۡا نَارًا لِّلۡحَرۡبِ اَطۡفَاَهَا اللّٰهُ ۙ وَيَسۡعَوۡنَ فِى الۡاَرۡضِ فَسَادًا ؕ وَاللّٰهُ لَا يُحِبُّ الۡمُفۡسِدِيۡنَ(64)
(64). અને યહૂદિઓએ કહ્યું કે અલ્લાહ (તઆલા)ના હાથ બંધાયેલા છે, તેમના જ હાથ બંધાયેલા છે, અને તેમના આ વિધાનને કારણે તેમના પર લા’નત કરવામાં આવી, બલ્કે અલ્લાહ (તઆલા)ના બંને હાથ ખુલ્લા છે, જેવી રીતે ઈચ્છે ખર્ચ કરે છે અને જે કંઈ તમારી તરફ તમારા રબ તરફથી ઉતારવામાં આવે છે તે તેમનામાં વધારે પડતા ને સ૨કશી અને કુફ્રમાં વધારી દે છે, અને અમે તેમનામાં પરસ્પર કયામત સુધી દુશ્મની અને ઈર્ષા નાખી દીધી છે, તેઓ જ્યારે પણ યુદ્ધની આગને ભડકાવવા ચાહે છે અલ્લાહ (તઆલા) તેને ઓલવી નાખે છે, તેઓ ધરતીમાં ડર અને ફસાદ મચાવતા ફરે છે અને અલ્લાહ (તઆલા) ફસાદિયોથી મુહબ્બત નથી કરતો.
તફસીર(સમજુતી):-
એટલે કે તેઓ જ્યારે પણ તમારી વિરુદ્ધ કોઈ સાઝિશ કરે છે અથવા લડાઈનું કારણ પેદા કરે છે, તો અલ્લાહ તઆલા તેને નિષ્ફળ બનાવી દે છે અને તેમની સાઝિશને તેમના પર પાછી ફેરવી દે છે.
તેમની બીજી આદત એ છે કે ધરતી પર ફસાદ ફેલાવવા માટે ભરપૂર કોશિશ કરે છે. હકીકત એ છે કે અલ્લાહ તઆલા ફસાદ ફેલાવનારાઓને પસંદ કરતો નથી.