સુરહ અલ્ માઈદહ 49,50
PART:-360
~~~~~~~~~~~~~
આજની આયાતના વિષય
~~~~~~~~~~~~~~
કુરઆનના પ્રમાણે જ ફેંસલા
કરવામાં આવશે
=======================
પારા નંબર:- 06
(5)સુરહ અલ્ માઈદહ
આયત નં.:- 49,50
=======================
اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم
અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)
☘☘☘☘☘☘☘☘☘☘️☘️
وَاَنِ احۡكُمۡ بَيۡنَهُمۡ بِمَاۤ اَنۡزَلَ اللّٰهُ وَلَا تَتَّبِعۡ اَهۡوَآءَهُمۡ وَاحۡذَرۡهُمۡ اَنۡ يَّفۡتِنُوۡكَ عَنۡۢ بَعۡضِ مَاۤ اَنۡزَلَ اللّٰهُ اِلَيۡكَؕ فَاِنۡ تَوَلَّوۡا فَاعۡلَمۡ اَنَّمَا يُرِيۡدُ اللّٰهُ اَنۡ يُّصِيۡبَهُمۡ بِبَـعۡضِ ذُنُوۡبِهِمۡؕ وَاِنَّ كَثِيۡرًا مِّنَ النَّاسِ لَفٰسِقُوۡنَ(49)
(49). અને તમે તેમના ઝઘડામાં અલ્લાહની ઉતારેલી વહીના અનુસાર ફેંસલો કરો, તેમની ઈચ્છાઓનું અનુસરણ કરતા નહિ, અને તેમનાથી હોંશિયાર રહેજો કે તેઓ તમને અલ્લાહના ઉતારેલા કોઈ હુકમથી અહીં-તહીં ના કરી દે, જો તેઓ મોઢું ફેરવી લે તો યકીન કરો કે અલ્લાહનો આ જ ઈરાદો છે કે તેમને તેમના કેટલાક ગુનાહોની સજા આપી જ દે અને મોટાભાગના લોકો નાફરમાન હોય છે.
☘☘☘☘☘☘☘☘☘☘️☘️
اَفَحُكۡمَ الۡجَـاهِلِيَّةِ يَـبۡغُوۡنَؕ وَمَنۡ اَحۡسَنُ مِنَ اللّٰهِ حُكۡمًا لِّـقَوۡمٍ يُّوۡقِنُوۡنَ(50)
(50). શું આ લોકો ફરીથી અજ્ઞાનતાનો ફેંસલો ઈચ્છે છે ? અને યકીન રાખવાવાળાઓના માટે અલ્લાહ(તઆલા)થી બહેતર ફેંસલો કરવાવાળો અને હુકમ કરવાવાળો કોણ હોઈ શકે છે.
તફસીર(સમજુતી):-
હવે કુરઆન અને ઈસ્લામ સિવાય બધું જ જાહિલિયત છે.