સુરહ અલ્ માઈદહ 59,60
PART:-364
~~~~~~~~~~~~~
આજની આયાતના વિષય
~~~~~~~~~~~~~~
હસદને કારણે દુશ્મની
અને
ફાસિકોનો અંજામ
=======================
પારા નંબર:- 06
(5)સુરહ અલ્ માઈદહ
આયત નં.:- 59,60
=======================
اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم
અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)
☘☘☘☘☘☘☘☘☘☘️☘️
قُلۡ يٰۤـاَهۡلَ الۡـكِتٰبِ هَلۡ تَـنۡقِمُوۡنَ مِنَّاۤ اِلَّاۤ اَنۡ اٰمَنَّا بِاللّٰهِ وَمَاۤ اُنۡزِلَ اِلَـيۡنَا وَمَاۤ اُنۡزِلَ مِنۡ قَبۡلُ ۙ وَاَنَّ اَكۡثَرَكُمۡ فٰسِقُوۡنَ(59)
(59). તમે કહી દો,“હે યહૂદિઓ અને ઈસાઈઓ! તમે અમારાથી ફક્ત એટલા માટે દુશ્મની રાખો છો કે અમે અલ્લાહ (તઆલા) પર અને જે કંઈ અમારા તરફ ઉતારવામાં આવ્યું અને જે કંઈ આના પહેલા ઉતારવામાં આવ્યું છે તેના પર ઈમાન લાવ્યા,” અને એટલા માટે પણ કે તમારામાં વધારે પડતા ફાસિક છે.
☘☘☘☘☘☘☘☘☘☘️☘️
قُلۡ هَلۡ اُنَـبِّئُكُمۡ بِشَرٍّ مِّنۡ ذٰ لِكَ مَثُوۡبَةً عِنۡدَ اللّٰهِ ؕ مَنۡ لَّعَنَهُ اللّٰهُ وَغَضِبَ عَلَيۡهِ وَجَعَلَ مِنۡهُمُ الۡقِرَدَةَ وَالۡخَـنَازِيۡرَ وَعَبَدَ الطَّاغُوۡتَ ؕ اُولٰٓئِكَ شَرٌّ مَّكَانًا وَّاَضَلُّ عَنۡ سَوَآءِ السَّبِيۡلِ(60)
(60). કહી દો કે શું હું તમને બતાવુ કે આનાથી પણ વધારે ખરાબ બદલો મેળવનારા અલ્લાહ (તઆલા)ની નજદીક કોણ છે? તેઓ જેમના પર અલ્લાહ (તઆલા)એ લા’નત કરી હોય, અને જેમના પર તેનો પ્રકોપ થયો હોય, અને જેમનામાંથી કેટલાકને વાંદરા અને સૂવર બનાવી દીધા, અને જેમણે જૂઠા મા'બૂદોની બંદગી કરી, તેઓ ખરાબ દરજ્જાવાળા છે અને તેઓ જ સાચા રસ્તાથી ઘણા વધારે ભટકેલા છે.