સુરહ અલ્ અઅ્-રાફ 82,83,84
PART:-488
~~~~~~~~
•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•
આજની આયાતના વિષય
~~~~~~~~~~~~~~
નાફરમાની, સખત અને મોટો અઝાબ
┈┈┈┈••✦✿✦••┈┈┈┈•
[ પારા નંબર:- 08 ]
[ (7). સુરહ અલ્ અઅ્-રાફ ]
[ આયત નં.:- 82,83,84 ]
=======================
اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم
અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)
=======================
وَمَا كَانَ جَوَابَ قَوۡمِهٖۤ اِلَّاۤ اَنۡ قَالُـوۡۤا اَخۡرِجُوۡهُمۡ مِّنۡ قَرۡيَتِكُمۡ ۚ اِنَّهُمۡ اُنَاسٌ يَّتَطَهَّرُوۡنَ(82)
(82). અને તેમની કોમનો જવાબ એ કહેવા સિવાય(બીજો) ન હતો કે પરસ્પર કહેવા લાગ્યા કે, “આ લોકોને પોતાની વસ્તીમાંથી કાઢી મૂકો, આ લોકો ઘણા સાફ સૂથરા બને છે.”
તફસીર(સમજૂતી):-
••••••••••••••••••••••••
હઝરત લૂત (અ.સ.) ની દાવત અને તબલીગ તેમને ચુભવા લાગી એટલે લૂત(અ.સ.) ને "વસ્તીમાથી કાઢી મુકો" ની બાંગો પુકારવા લાગ્યા.
=======================
فَاَنۡجَيۡنٰهُ وَاَهۡلَهٗۤ اِلَّا امۡرَاَتَهٗ ۖ كَانَتۡ مِنَ الۡغٰبِرِيۡنَ(83)
(83). તો અમે તેને (લૂત) અને તેના ઘરવાળાઓને બચાવી લીધા સિવાય તેની પત્નીને, કે તે એ લોકોમાં રહી જેઓ (અઝાબમાં) રહી ગયા હતા.
તફસીર(સમજૂતી):-
••••••••••••••••••••••••
લૂત(અ.સ.) ની પત્ની તેમના પર ઈમાન લાવી ન હતી અને તેમના વિરોધીઓ બાજુ હતી. એટલે અઝાબ ભોગવવામાં પણ તેઓમાં શામિલ થઈ ગઈ.
=======================
وَاَمۡطَرۡنَا عَلَيۡهِمۡ مَّطَرًا ؕ فَانْظُرۡ كَيۡفَ كَانَ عَاقِبَةُ الۡمُجۡرِمِيۡنَ(84)
(84). અને અમે તેમના ઉપર એક નવા પ્રકારનો વરસાદ વરસાવ્યો' પછી જુઓ તો ખરા કે તે ગુનેહગારોનો કેવો અંજામ થયો.
તફસીર(સમજૂતી):-
••••••••••••••••••••••••
આ ખાસ પ્રકારનો વરસાદ કેવો હતો ? પથ્થરોનો વરસાદ હતો, જેવી રીતે બીજી જગ્યાએ ફરમાવ્યું:
[وَاَمۡطَرۡنَا عَلَيۡهَا حِجَارَةً مِّنۡ سِجِّيۡلٍۙ مَّنۡضُوۡدٍۙ ۞]
(“અમે તેમના ઉપર એક પછી એક પથ્થરોનો વરસાદ વરસાવ્યો.”__સૂરઃ હૂદ-82)
અને એ પણ ફરમાવ્યું કે:
جَعَلۡنَا عَالِيَهَا سَافِلَهَا
(અમે એ વસ્તીને ઉલટ પલટ કરીને પટકાવી_ સૂર: હૂદ-82)