સુરહ આલે ઈમરાન 153

PART:-223
         (Quran-Section)

      (3)સુરહ આલે ઈમરાન
        આયત નં.:-153
                                         
 ☘☘☘☘☘☘☘☘☘☘☘                       

اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم

અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)

☘☘☘☘☘☘☘☘☘☘☘

اِذۡ تُصۡعِدُوۡنَ وَلَا تَلۡوٗنَ عَلٰٓى اَحَدٍ وَّالرَّسُوۡلُ يَدۡعُوۡكُمۡ فِىۡۤ اُخۡرٰٮكُمۡ فَاَثَابَكُمۡ غَمًّا ۢ بِغَمٍّ لِّـكَيۡلَا تَحۡزَنُوۡا عَلٰى مَا فَاتَكُمۡ وَلَا مَاۤ اَصَابَكُمۡ‌ؕ وَاللّٰهُ خَبِيۡرٌۢ بِمَا تَعۡمَلُوۡنَ‏(153)

153).જ્યારે કે તમે ભાગતા જઈ રહ્યા હતા, કોઈની તરફ ધ્યાન સુદ્ધા કરતાં ન હતા અને અલ્લાહના રસુલ તમને પાછળથી પોકારી રહ્યા હતા, બસ તમને દુઃખ પર દુઃખ પહોંચ્યું જેથી તમે પોતાના ખોવાયેલ (વિજય) પર ગમ ન કરો અને ન તેના પર (ગમ) જે તમને પહોંચ્યું અને અલ્લાહ(તઆલા) તમારા બધા કાર્યોને જાણે છે

તફસીર(સમજુતી):-

એટલે કે આ દુઃખ પર દુ:ખ એટલા માટે આપવામાં આવ્યું કે જેથી તમારામાં દુઃખ સહન કરવાની તાકાત અને મજબૂત ઇરાદાઓ અને હિંમત પેદા થાય, જ્યારે આ તાકાત અને હિંમત પેદા થઈ જાય છે ત્યારે માણસને ખોવાયેલ વસ્તુ પર દુઃખ નથી થતું અને તકલીફ પર કોઈ પ્રકારનો ગમ નથી હોતો

Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92