સુરહ અન્-નિસા 53,54,55
PART:-277
(Quran-Section)
(Quran-Section)
(4)સુરહ અન્-નિસા
આયત નં.:-53,54,55
આયત નં.:-53,54,55
☘☘☘☘☘☘☘☘☘☘☘
اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم
અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)
☘☘☘☘☘☘☘☘☘☘☘
اَمۡ لَهُمۡ نَصِيۡبٌ مِّنَ الۡمُلۡكِ فَاِذًا لَّا يُؤۡتُوۡنَ النَّاسَ نَقِيۡرًا(53)
53).શું તેમનો કોઈ હિરસો રાજયમાં છે ? જો આવું હોય
તો પછી તેઓ કોઈને એક ખજૂરની ગુઠલી ના ફાંકા બરાબર પણ કશુ નહિ આપે.
તો પછી તેઓ કોઈને એક ખજૂરની ગુઠલી ના ફાંકા બરાબર પણ કશુ નહિ આપે.
☘☘☘☘☘☘☘☘☘☘☘
اَمۡ يَحۡسُدُوۡنَ النَّاسَ عَلٰى مَاۤ اٰتٰٮهُمُ اللّٰهُ مِنۡ فَضۡلِهٖۚ فَقَدۡ اٰتَيۡنَاۤ اٰلَ اِبۡرٰهِيۡمَ الۡـكِتٰبَ وَالۡحِكۡمَةَ وَاٰتَيۡنٰهُمۡ مُّلۡكًا عَظِيۡمًا(54)
54).અથવા આ લોકોથી ઈર્ષા રાખે છે, તેના પર જે અલ્લાહ (તઆલા)એ પોતાની મહેરબાનીથી તેમને આપ્યું છે તો અમે તો ઈબ્રાહીમની સંતાનને કિતાબ અને
હિકમત પણ આપી અને મોટુ રાજય પણ પ્રદાન કર્યું.
હિકમત પણ આપી અને મોટુ રાજય પણ પ્રદાન કર્યું.
☘☘☘☘☘☘☘☘☘☘☘
فَمِنۡهُمۡ مَّنۡ اٰمَنَ بِهٖ وَمِنۡهُمۡ مَّنۡ صَدَّ عَنۡهُ ؕ وَكَفٰى بِجَهَـنَّمَ سَعِيۡرًا(55)
55).પછી તેમનામાંથી કેટલાકે તો તે કિતાબને માની અને કેટલાક તેનાથી રોકાઈ ગયા અને જહન્નમની ભડકે બળતી આગ જ પૂરતી છે.
તફસીર(સમજુતી):-
એટલે કે બની ઈસરાઈલની સંતાન જે હજરત ઈબ્રાહીમના ખાનદાન અને કબીલામાંથી છે, તેમને અમે નબૂવત પણ આપી અને મોટું રાજય અને હુકૂમત પણ, પછી પણ આ બધા યહૂદી તેમની પર ઈમાન ન લાવ્યા, કેટલાક ઈમાન લાવ્યા અને કેટલાક રોકાઈ ગયા. મતલબ તે છે મોહંમદ (ﷺ) જો તેઓ તમારા પર ઈમાન નથી લાવતા તો આ કોઈ અનોખી વાત નથી તેઓનો તો ઈતિહાસ જ નબીઓને જૂઠાડવામાં પડેલો છે ત્યાં સુધી કે તેઓ તો પોતાના વંશના નબીઓ પર પણ ઈમાન લાવ્યા નથી.