સુરહ અલ્ અન્-આમ 125,126
PART:-439
~~~~~~~~~~~~~
આજની આયાતના વિષય
~~~~~~~~~~~~~~
હિદાયત અને ગુમરાહી અલ્લાહના
હાથમાં છે
ઈસ્લામ જ સત્ય ધર્મ છે
=======================
પારા નંબર:- 08
(6)સુરહ અલ્ અન્-આમ
આયત નં.:-125,126
=======================
اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم
અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)
☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️
فَمَنۡ يُّرِدِ اللّٰهُ اَنۡ يَّهۡدِيَهٗ يَشۡرَحۡ صَدۡرَهٗ لِلۡاِسۡلَامِۚ وَمَنۡ يُّرِدۡ اَنۡ يُّضِلَّهٗ يَجۡعَلۡ صَدۡرَهٗ ضَيِّقًا حَرَجًا كَاَنَّمَا يَصَّعَّدُ فِى السَّمَآءِؕ كَذٰلِكَ يَجۡعَلُ اللّٰهُ الرِّجۡسَ عَلَى الَّذِيۡنَ لَا يُؤۡمِنُوۡنَ(125)
(125). જેને અલ્લાહ સાચો રસ્તો દેખાડવા ચાહે છે તેની છાતી ઈસ્લામ (ધર્મ) માટે ખોલી દે છે અને જેને ગુમરાહ કરવા ચાહે છે તેની છાતીને વધારે સંકુચિત કરી દે છે જેવો કે તે આકાશમાં ચઢી રહ્યો હોય, આ રીતે અલ્લાહ તેમને અપવિત્ર બનાવી દે છે જેઓ ઈમાન નથી ધરાવતા.
તફસીર(સમજુતી):-
એટલે કે જેવી રીતે તાકાત લગાવી આકાશ પર ચઢવું અશક્ય છે તેવી જ રીતે જે માણસની છાતીને અલ્લાહ તઆલા તંગ કરી દે, તેમાં તોહીદ અને ઈમાનનું દાખલ થવું શક્ય નથી એના સિવાય કે અલ્લાહ જ તેની છાતી ઈસ્લામ માટે ખોલી દે.
☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️
وَهٰذَا صِرَاطُ رَبِّكَ مُسۡتَقِيۡمًا ؕ قَدۡ فَصَّلۡنَا الۡاٰيٰتِ لِقَوۡمٍ يَّذَّكَّرُوۡنَ(126)
(126). આ તમારા રબનો સીધો માર્ગ છે, અમે આયતોનું સ્પષ્ટ વર્ણન તે કોમ (સમુદાય) માટે કરી દીધું છે જે શિખામણ સ્વીકારે છે.