સુરહ અન્-નિસા 155,156


PART:-324
  
      આજની આયાતના વિષય
      ~~~~~~~~~~~~~~
 
   યહુદીઓના‌ દીલો પર મહોર મારી દેવામાં આવી છે
                      ~~~~~~~~~~~~~~
          
       પારા નંબર:- 06
      (4)સુરહ અન્-નિસા
         આયત નં.:-155,156
☘☘☘☘☘☘☘☘☘☘☘
اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم

અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)
☘☘☘☘☘☘☘☘☘☘☘

فَبِمَا نَقۡضِهِمۡ مِّيۡثَاقَهُمۡ وَكُفۡرِهِمۡ بِاٰيٰتِ اللّٰهِ وَقَتۡلِهِمُ الۡاَنۡۢبِيَآءَ بِغَيۡرِ حَقٍّ وَّقَوۡلِهِمۡ قُلُوۡبُنَا غُلۡفٌ ؕ بَلۡ طَبَعَ اللّٰهُ عَلَيۡهَا بِكُفۡرِهِمۡ فَلَا يُؤۡمِنُوۡنَ اِلَّا قَلِيۡلًا(155)

(155). આવું તેમના વચનભંગ કરવા અને અલ્લાહની આયતોનો ઈન્કાર કરવા અને વગર કારણે રસૂલોને
કતલ કરવા અને તેમના તે કથનના કારણે થયું કે અમારા દિલ સુરક્ષિત છે. (નહિં) અલ્લાહે તેમના કુફ્રના કારણે તેમના દિલો પર મહોર મારી દીધી છે, એટલા માટે થોડાક જ ઈમાન ધરાવે છે.
☘☘☘☘☘☘☘☘☘☘☘

وَّبِكُفۡرِهِمۡ وَقَوۡلِهمِۡ عَلٰى مَرۡيَمَ بُهۡتَانًـا عَظِيۡمًا(156)

(156). અને તેમના કુફ્રના કારણે અને મરયમ ઉપર તહોમત લગાવવાના કારણે

તફસીર (સમજુતી):-

તેનાથી આશય યુસુફ બઢઈના સાથે હજરત મરયમના ગલત સંબંધનો આરોપ છે. આજકાલ પણ કેટલાક લોકો આ ઘણા મોટા ગુનાહને એક હકીકત સાબિત કરવા પર લાગેલા છે અને કહે છે કે યુસુફ બઢઈ (અલ્લાહની
પનાહ) હજરત ઈસાના પિતા હતા અને આ રીતે હજરત ઈસાનો વગર પિતાએ થયેલ ચમત્કારીક જન્મનો
ઈન્કાર કરે છે.

Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92