(2)સુરહ બકરહ 124

PART:-72

         (Quran-Section)


      (2)સુરહ બકરહ

         આયત નં.:-124


☘☘☘☘☘☘☘☘☘☘☘


اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيْمِ


અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)

_________________________


وَاِذِ ابۡتَلٰٓى اِبۡرٰهٖمَ رَبُّهٗ بِكَلِمٰتٍ فَاَتَمَّهُنَّ ‌ؕ قَالَ اِنِّىۡ جَاعِلُكَ لِلنَّاسِ اِمَامًا ‌ؕ قَالَ وَمِنۡ ذُرِّيَّتِىۡ ‌ؕ قَالَ لَا يَنَالُ عَهۡدِى الظّٰلِمِيۡنَ (124)


124).અને જ્યારે ઈબ્રાહીમ(અ.સ)ની તેમના રબે

અનેક વાતોથી પરીક્ષા લીધી', અને તેણે દરેકને પૂરી કરી દેખાડી તો (અલ્લાહે) ફરમાવ્યું કે હું તમને લોકોના ઇમામ (સરદાર) બનાવનાર છું, પૂછ્યું અને મારી

સંતાનનને જવાબ આપ્યો કે મારૂ વચન જાલિમોના માટે નથી.


તફસીર(સમજુતી):-


વાતોથી આશય ધાર્મિક આદેશ, હજના કાનૂન, પુત્રની કુરબાની, હિજરત (સ્થળાંતર), નમરૂદની આગ અને તે બધી પરીક્ષા જેનાથી હજરત ઈબ્રાહીમ (અ.સ)ને પસાર કરવામાં આવ્યા અને તે દરેક પરીક્ષામાં સફળ રહ્યા, જેના પરિણામે લોકોના ઈમામ(સરદાર) ના પદથી સન્માનિત કરવામાં આવ્યા. એટલા માટે મુસલમાન જ નહિં યહૂદી, ઈસાઈ ત્યાં સુધી કે અરબના મૂર્તિપૂજકો બધામાં તેમના વ્યક્તિત્વનું સન્માન છે અને તેમને ઈમામ માનવામાં અને સમજવામાં આવે છે.

__________________________


Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92