સુરહ આલે ઈમરાન 145,146

PART:-219
         (Quran-Section)

      (3)સુરહ આલે ઈમરાન
        આયત નં.:-145,146
                                           
 ☘☘☘☘☘☘☘☘☘☘☘                       

اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم

અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)

☘☘☘☘☘☘☘☘☘☘☘

وَمَا كَانَ لِنَفۡسٍ اَنۡ تَمُوۡتَ اِلَّا بِاِذۡنِ اللّٰهِ كِتٰبًا مُّؤَجَّلًا ؕ وَ مَنۡ يُّرِدۡ ثَوَابَ الدُّنۡيَا نُؤۡتِهٖ مِنۡهَا ‌ۚ وَمَنۡ يُّرِدۡ ثَوَابَ الۡاٰخِرَةِ نُؤۡتِهٖ مِنۡهَا ‌ؕ وَسَنَجۡزِى الشّٰكِرِيۡنَ(145)

145).અને અલ્લાહ (તઆલા)ના હુકમ વગર કોઈ જીવ મરી શકતો નથી, નક્કી કરેલ સમય લખેલ છે,દુનિયાથી મોહબ્બત કરવાવાળાઓને અમે થોડી દુનિયા
આપી દઈએ છીએ અને આખિરતનો બદલો ચાહવાવાળાને અમે તે પણ આપીશું અને આભાર વ્યક્ત કરનારાઓને અમે જલ્દીથી સારો બદલો આપીશું.

તફસીર(સમજુતી):-

આ કમજોરી અને બુઝદિલી જાહિર કરવાવાળાઓના હોસલામાં વધારો થાય તે માટે કહેવામાં આવે છે, મૌત તો તેના સમય પર આવશે જ પછી ભાગવાની કે બુઝદિલી બતાવવાથી શું ફાયદો ? અને જે દુનિયા માગે છે તેને દુનિયા આપી દેવામાં આવે છે તેના માટે આખિરતમા કશું જ નથી જે હંમેશા રહેવાનું છે.

☘☘☘☘☘☘☘☘☘☘☘

وَكَاَيِّنۡ مِّنۡ نَّبِىٍّ قٰتَلَ ۙ مَعَهٗ رِبِّيُّوۡنَ كَثِيۡرٌ ۚ فَمَا وَهَنُوۡا لِمَاۤ اَصَابَهُمۡ فِىۡ سَبِيۡلِ اللّٰهِ وَمَا ضَعُفُوۡا وَمَا اسۡتَكَانُوۡا ‌ؕ وَاللّٰهُ يُحِبُّ الصّٰبِرِيۡنَ(146)

146).અને ઘણા નબીઓના સાથે ઘણા અલ્લાહવાળા જિહાદ કરી ચૂકયા છે, તેમને પણ અલ્લાહના માર્ગમાં તકલીફ પહોંચી, પરંતુ ન તો તેઓએ હિમ્મત હારી ન કમજોર થયા અને ન નમ્યા અને અલ્લાહ સબ્ર કરનારાઓને પસંદ કરે છે.

Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92