સુરહ બકરહ 276,277,278
PART:-151
(Quran-Section)
(Quran-Section)
(2)સુરહ બકરહ
આયત નં.:-276,277
278
☘☘☘☘☘☘☘☘☘☘☘
આયત નં.:-276,277
278
☘☘☘☘☘☘☘☘☘☘☘
اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيْمِ
અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)
☘☘☘☘☘☘☘☘☘☘☘
يَمۡحَقُ اللّٰهُ الرِّبٰوا وَيُرۡبِى الصَّدَقٰتِؕ وَاللّٰهُ لَا يُحِبُّ كُلَّ كَفَّارٍ اَثِيۡمٍ(276)
276).અલ્લાહ (તઆલા) વ્યાજને ઘટાડે છે અને દાનને વધારે છે, અને અલ્લાહ (તઆલા) કોઈ નાશુક્રા
(અપકારી) અને કાફિરને દોસ્ત નથી બનાવતો.
(અપકારી) અને કાફિરને દોસ્ત નથી બનાવતો.
તફસીર(સમજુતી):-
આ વ્યાજના વાસ્તવિક અને આત્મિક નુકશાનના પછી સદકાના ફાયદાનું વર્ણન છે. વ્યાજથી જોવામાં તો વૃદ્ધિ થાય છે પરંતુ તેના અસલ અર્થ મુજબ પરિણામ સ્વરૂપ વ્યાજનો માલ તેમની બરબાદી અને ખરાબીનું કારણ બને છે આ વાતનું સમર્થન હવે પશ્ચિમી દેશોના અર્થશાસ્ત્રીઓ પણ કરવા લાગ્યા છે.
☘☘☘☘☘☘☘☘☘☘☘
اِنَّ الَّذِيۡنَ اٰمَنُوۡا وَعَمِلُوا الصّٰلِحٰتِ وَاَقَامُوا الصَّلٰوةَ وَاٰتَوُا الزَّكٰوةَ لَهُمۡ اَجۡرُهُمۡ عِنۡدَ رَبِّهِمۡۚ وَلَا خَوۡفٌ عَلَيۡهِمۡ وَلَا هُمۡ يَحۡزَنُوۡنَ(277)
277).જે લોકો ઈમાનની સાથે (સુન્નત અનુસાર) કામ કરે છે, નમાઝોને કાયમ કરે છે અને ઝકાત આપે છે,તેમનો બદલો તેમના રબ પાસે છે, તેમના પર ન તો કોઈ ભય હશે અને ન કોઈ દુ:ખ.
☘☘☘☘☘☘☘☘☘☘☘
يٰۤـاَيُّهَا الَّذِيۡنَ اٰمَنُوا اتَّقُوا اللّٰهَ وَذَرُوۡا مَا بَقِىَ مِنَ الرِّبٰٓوا اِنۡ كُنۡتُمۡ مُّؤۡمِنِيۡنَ(278)
278).હે ઈમાનવાળાઓ! અલ્લાહ (તઆલા)થી ડરો અને જે વ્યાજ બાકી રહી ગયું છે તે છોડી દો, જો તમે ખરેખર ઈમાનવાળા છો.