સુરહ બકરહ 211,212

PART:-118
         (Quran-Section)

      (2)સુરહ બકરહ
        આયત નં.:-211,212
                     

☘☘☘☘☘☘☘☘☘☘☘

اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيْمِ

અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)

☘☘☘☘☘☘☘☘☘☘☘

سَلۡ بَنِىۡٓ اِسۡرَآءِيۡلَ كَمۡ اٰتَيۡنٰهُمۡ مِّنۡ اٰيَةٍۢ بَيِّنَةٍ ‌ؕ وَمَنۡ يُّبَدِّلۡ نِعۡمَةَ اللّٰهِ مِنۡۢ بَعۡدِ مَا جَآءَتۡهُ فَاِنَّ اللّٰهَ شَدِيۡدُ الۡعِقَابِ(211)

211).ઈસરાઈલની સંતાનોને પૂછો કે અમે તેમને કેટલી સ્પષ્ટ નિશાનીઓ આપી અને જેઓ અલ્લાહ(તઆલા)ની ને’મત પોતાની પાસે પહોંચી ગયા પછી
પણ બદલી નાખે (તેઓ જાણી લો) કે અલ્લાહ (તઆલા)
પણ સખત સજાઓ આપવાવાળો છે.

તફસીર(સમજુતી):-

જેમ કે મૂસાની લાકડી, જેના વડે અમે જાદુગરોના જાદુને તોડ્યુ, સમુદ્રમાં રસ્તો બનાવ્યો, પથ્થરથી બાર ઝરણાં ફૂટી નીકળ્યા, વાદળોનો છાંયડો, મન્ન અને સલ્વાનું ઉતરવું, અને જે અલ્લાહ તઆલાની તાકાત અને અમારા પયગમ્બરોની સચ્ચાઈના સબૂત હતા, પરંતુ એના પછી પણ તેઓએ અલ્લાહ તઆલાની નાફરમાની કરી.

☘☘☘☘☘☘☘☘☘☘☘

زُيِّنَ لِلَّذِيۡنَ كَفَرُوا الۡحَيٰوةُ الدُّنۡيَا وَيَسۡخَرُوۡنَ مِنَ الَّذِيۡنَ اٰمَنُوۡا ‌ ۘ وَالَّذِيۡنَ اتَّقَوۡا فَوۡقَهُمۡ يَوۡمَ الۡقِيٰمَةِ ؕ وَاللّٰهُ يَرۡزُقُ مَنۡ يَّشَآءُ بِغَيۡرِ حِسَابٍ (212)

212).કાફિરો માટે દુનિયાની જિંદગી શણગારી દેવામાં આવી છે, અને તેઓ ઈમાનવાળાઓથી હંસી મજાક કરે છે પરંતુ જેઓ પરહેઝગાર છે તેઓ કયામતના દિવસે તેમનાથી ખૂબ મોટા હશે, અલ્લાહ (તઆલા) જેને ઈચ્છે
છે બેશુમાર આપે છે.

તફસીર(સમજુતી):-

કેમકે મુસલમાનોની વધારે સંખ્યા ગરીબી પર આધારિત હતી, જે દુનિયાની દોલત અને આરામથી મુકો હતા એટલા માટે કાફિર એટલે કે મક્કાના કુરેશ તેમનો મજાક ઉડાવતા હતા, જેવો કે ધનવાનોનો દરેક જમાનામાં આજ અમલ રહ્યો છે.

Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92