31,32:સુરહ બકરહ


PART:-21
અસ્સલામુ અલયકુમ
બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ

વિષય:-સુરહ બકરહ.(2)

કુરઆન પઢવાની શરૂઆત કરતાં પેહલા [અઉઝુબિલ્લાહિ-મિનશ્-શયતાનિર્-રજીમ] પઢવુ

જેનો અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)
        (આયત નં:-31,32)
👇કુરઆનની આયાતો શરૂ👇
📖📖📖📖📖📖📖📖📖
➖➖➖➖➖➖➖➖➖
وَ عَلَّمَ اٰدَمَ الۡاَسۡمَآءَ کُلَّہَا ثُمَّ عَرَضَہُمۡ عَلَی الۡمَلٰٓئِکَۃِ ۙ فَقَالَ اَنۡۢبِـُٔوۡنِیۡ بِاَسۡمَآءِ ہٰۤؤُلَآءِ اِنۡ کُنۡتُمۡ صٰدِقِیۡنَ ﴿۳۱﴾

31).ત્યારપછી અલ્લાહે આદમને બધી વસ્તુઓના નામ શીખવાડ્યા, પછી તેમને ફરિશ્તાઓ સમક્ષ રજૂ કર્યા અને ફરમાવ્યું, ''જો તમારો વિચાર સાચો છે (કે કોઈ ખલીફાની નિમણૂકથી તંત્ર બગડી જશે) તો જરા આ વસ્તુઓના નામ બતાવો.''
➖➖➖➖➖➖➖➖➖

قَالُوۡا سُبۡحٰنَکَ لَا عِلۡمَ لَنَاۤ اِلَّا مَا عَلَّمۡتَنَا ؕ اِنَّکَ اَنۡتَ الۡعَلِیۡمُ الۡحَکِیۡمُ ﴿۳۲﴾

32).તેમણે નિવેદન કર્યું, ''ખામીરહિત તો આપની જ હસ્તી છે. અમે તો માત્ર એટલુંજ જ્ઞાન ધરાવીએ છીએ, જેટલું આપે અમને પ્રદાન કરી દીધું છે. હકીકતમાં સર્વજ્ઞ અને બધું જ સમજવાવાળો આપના સિવાય કોઈ નથી.''
➖➖➖➖➖➖➖➖➖
તફસીર(સમજૂતી)

1).નામો એ બ્રહ્માંડમાં મળી રહેલી વસ્તુઓ, તેમના ગુણધર્મો અને વિવિધ માનવ ઘટના, જેમ કે ભૂખ, તરસ, આરોગ્ય અને માંદગી, વગેરેના નામનો ઉલ્લેખ કરે છે, આદમને આ વસ્તુઓ શીખવતા વખતે પણ. ફરિશ્તાઓ પણ હાજર હતા; પરંતુ તેઓ પ્રકૃતિમાં આ બાબતોને સંપૂર્ણ રીતે સમજી શક્યા ન હોવાથી, જ્યારે તેઓની કસોટી કરવામાં આવી ત્યારે તેઓ જવાબ આપી શક્યા નહીં, અને તેથી અલ્લાહ એ વ્યવહારિક રૂપે તેમને ખાતરી આપી કે જે કાર્ય આ પ્રાણીનું છે તે ફરિશ્તાઓ કરી શકતા નથી.

2).આયત નંબર 32 ની તફસીર ઈબ્ને કષીર અને અહસનુલ બયાન માં ઉપલબ્ધ નથી
〰〰〰〰〰〰〰〰〰〰〰













Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92