29,30:સુરહ બકરહ


PART:-20
અસ્સલામુ અલયકુમ
બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ
વિષય:-સુરહ બકરહ.(2)
કુરઆન પઢવાની શરૂઆત કરતાં પેહલા [અઉઝુબિલ્લાહિ-મિનશ્-શયતાનિર્-રજીમ] પઢવુ
જેનો અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)
        (આયત નં:-29,30)
👇કુરઆનની આયાતો શરૂ👇
📖📖📖📖📖📖📖📖📖
➖➖➖➖➖➖➖➖➖
ہُوَ الَّذِیۡ خَلَقَ لَکُمۡ مَّا فِی الۡاَرۡضِ جَمِیۡعًا ٭ ثُمَّ اسۡتَوٰۤی اِلَی السَّمَآءِ فَسَوّٰىہُنَّ سَبۡعَ سَمٰوٰتٍ ؕ وَ ہُوَ بِکُلِّ شَیۡءٍ عَلِیۡمٌ ﴿٪۲۹﴾
29).તે જ તો છે, જેણે તમારા માટે ધરતીની બધી વસ્તુઓ પેદા કરી, પછી ઉપરની તરફ ધ્યાન આપ્યું અને સાત આકાશો વ્યવસ્થિત રીતે બનાવ્યા, અને તે દરેક વસ્તુનું જ્ઞાન ધરાવનાર છે. (રુકૂઅ-૩)
➖➖➖➖➖➖➖➖➖
وَ اِذۡ قَالَ رَبُّکَ لِلۡمَلٰٓئِکَۃِ اِنِّیۡ جَاعِلٌ فِی الۡاَرۡضِ خَلِیۡفَۃً ؕ قَالُوۡۤا اَتَجۡعَلُ فِیۡہَا مَنۡ یُّفۡسِدُ فِیۡہَا وَ یَسۡفِکُ الدِّمَآءَ ۚ وَ نَحۡنُ نُسَبِّحُ بِحَمۡدِکَ وَ نُقَدِّسُ لَکَ ؕ قَالَ اِنِّیۡۤ اَعۡلَمُ مَا لَا تَعۡلَمُوۡنَ ﴿۳۰﴾
30).પછી જરા તે સમયની કલ્પના કરો, જ્યારે તમારા રબે ફરિશ્તાઓને કહ્યું હતું કે ''હું ધરતી પર એક ખલીફા (પ્રતિનિધિ, નાયબ) બનાવવાનો છું.'' તેમણે અરજ કરી, ''શું આપ ધરતી પર કોઈ એવાને નિયુક્ત કરવાના છો, જે તેની વ્યવસ્થાને બગાડી મૂકશે અને ખૂનખરાબી કરશે? આપની સ્તુતિની સાથે-સાથે તસ્બીહ (ગુણગાન) અને આપની પવિત્રતાનો જાપ તો અમે કરી જ રહ્યા છીએ.'' ફરમાવ્યું, ''હું જાણું છું, જે કંઈ તમે નથી જાણતા.''
➖➖➖➖➖➖➖➖➖તફસીર(સમજુતી)
1).આ આયત માં માણસ તરફ એ ધ્યાન દોરવામાં આવી રહ્યું છે કે તેે બ્રહ્માંડની જે વસ્તુઓનો ફાયદો ઉઠાવે છે, તે અલ્લાહ દ્વારા આપવામાં આવી છે, તેમાંની દરેક વસ્તુઓ તેના એકેશ્વરવાદની સાક્ષી આપે છે, તેમ છતાં માણસ અલ્લાહ નો ઈનકાર કરે તો તે બહુ જ મોટી નાશુક્રી કેહવાય 
2).આ આયત માં ખલીફા શબ્દ નો મતલબ એ કે માનવીઓ ની એક પછી એક નસ્લો આવતી રહે
ફરિશ્તાઓ નુ સવાલ કરવું એ કોઈ વિરોધ નહીં પણ તેમને જાણવું હતું કે માનવીઓની પેદાઈશ પાછળ શું ઉપદેશ છે કારણ કે અલ્લાહ ની  ઈબાદત અને ગુણગાન કરવા માટે ફરિશ્તાઓ તો છે જ, માટી થી બનાવેલ માણસ જમીન પર બગાડ ફેલાવશે તો ?
જવાબ માં અલ્લાહ કહે છે કે હું  જે જાણુ છું એ તમે નથી જાણતા
〰〰〰〰〰〰〰〰〰〰〰








Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92