સુરહ અલ્ અઅ્-રાફ 55,56
PART:-479
~~~~~~~~
•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•
આજની આયાતના વિષય
~~~~~~~~~~~~~~
દુઆ આજીજી થી, ઈબાદત ખુલૂસ થી
┈┈┈┈••✦✿✦••┈┈┈┈•
[ પારા નંબર:- 08 ]
[ (7). સુરહ અલ્ અઅ્-રાફ ]
[ આયત નં.:- 55,56 ]
=======================
اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم
અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)
=======================
اُدۡعُوۡا رَبَّكُمۡ تَضَرُّعًا وَّخُفۡيَةً ؕ اِنَّهٗ لَا يُحِبُّ الۡمُعۡتَدِيۡنَ(55)
(55). પોતાના રબને કરગરીને અને ધીમેથી પણ પોકારો, તે હદથી વધી જનારાઓને મોહબ્બત નથી કરતો.
=======================
وَلَا تُفۡسِدُوۡا فِى الۡاَرۡضِ بَعۡدَ اِصۡلَاحِهَا وَادۡعُوۡهُ خَوۡفًا وَّطَمَعًا ؕ اِنَّ رَحۡمَتَ اللّٰهِ قَرِيۡبٌ مِّنَ الۡمُحۡسِنِيۡنَ(56)
(56). અને ધરતીમાં સુધાર પછી બગાડ પેદા ન કરો, અને ડર તથા ઉમ્મીદ સાથે તેની બંદગી કરો, બેશક અલ્લાહની કૃપા નેક લોકોની નજીક છે.*
તફસીર(સમજૂતી):-
••••••••••••••••••••••••
આ આયતમાં ચાર પ્રકારની તાલીમ આપવામાં આવી છે.
(1) અલ્લાહથી રોઈને અથવા ધીમા અવાજે દુઆ
કરવામાં આવે.
(2) દુઆમાં અતિરેક ન કરવામાં આવે એટલે કે પોતાના પદ અને તાકાતથી વધારે દુઆ ન
કરવામાં આવે.
(3) સુધાર પછી ફસાદ ફેલાવામાં ન આવે એટલે કે અલ્લાહના હુકમની નાફરમાની કરી ફસાદ
ફેલાવવામાં ભાગ લેવામાં ન આવે.
(4) તેની સજાનો ડર દિલમાં હોય અને તેની દયાની ઉમ્મીદ પણ,
આ રીતે દુઆ કરનારા સારા લોકો છે બેશક અલ્લાહની રહમત (દયા) તેમના નજદીક છે...