સુરહ અલ્ અન્-આમ 89,90
PART:-423
~~~~~~~~~~~~~
આજની આયાતના વિષય
~~~~~~~~~~~~~~
દુનિયાવાળાઓને શિખામણ
=======================
પારા નંબર:- 07
(6)સુરહ અલ્ અન્-આમ
આયત નં.:-89,90
=======================
اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم
અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)
☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️
اُولٰٓئِكَ الَّذِيۡنَ اٰتَيۡنٰهُمُ الۡـكِتٰبَ وَالۡحُكۡمَ وَالنُّبُوَّةَ ؕ فَاِنۡ يَّكۡفُرۡ بِهَا هٰٓؤُلَۤاءِ فَقَدۡ وَكَّلۡنَا بِهَا قَوۡمًا لَّيۡسُوۡا بِهَا بِكٰفِرِيۡنَ(89)
(89). તેઓને અમે કિતાબ અને હિકમત અને નબૂવત પ્રદાન કર્યા, અને જો આ લોકો તેને ન માનતા, તો અમે એવા લોકો તૈયાર કરી રાખ્યા છે જેઓ તેનો ઈન્કાર નહિ કરે.
તફસીર(સમજુતી):-
તેનાથી આશય રસૂલુલ્લાહ (ﷺ)ના વિરોધી, મૂર્તિપૂજક અને અધર્મ છે.
તેનાથી આશય મક્કાથી નીકળી મદીનામાં રહેનારા અને મદીનાના રહેવાસી મુસલમાન અને કયામત સુધી આવનારા ઈમાનવાળા છે.
☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️
اُولٰٓئِكَ الَّذِيۡنَ هَدَى اللّٰهُ فَبِهُدٰٮهُمُ اقۡتَدِهۡ ؕ قُلْ لَّاۤ اَسۡـئَلُكُمۡ عَلَيۡهِ اَجۡرًا ؕ اِنۡ هُوَ اِلَّا ذِكۡرٰى لِلۡعٰلَمِيۡنَ(90)
(90). આ તે લોકો છે જેમને અલ્લાહે સાચો રસ્તો દેખાડ્યો એટલા માટે તમે તેમના રસ્તાનું અનુસરણ કરો, તમે કહો કે, “હું આના ઉપર કોઈ બદલાની માંગણી કરતો નથી.” આ દુનિયાવાળા માટે ફક્ત જાહેર શિખામણ છે.
તફસીર(સમજુતી):-
"તે લોકો" થી મુરાદ અંબિયા(અ.સ.)
જાહેર શિખામણ એટલે કે કુરઆનથી નસીહત હાસિલ કરે અને કુફ્ર અને શિર્કના અંધારામાંથી હિદાયત અને રોશની તરફ આવે પરંતુ શર્ત એ કે આના દ્રારા નસીહત કરવા ચાહે વરના તો આંધળાને કેવી રીતે રસ્તો દેખાય