સુરહ અલ્ અન્-આમ 69,70
PART:-416
~~~~~~~~~~~~~
આજની આયાતના વિષય
~~~~~~~~~~~~~~
કાફિરો સાથે દોસ્તી અને સંબંધો
નહીં રાખવા
=======================
પારા નંબર:- 07
(6)સુરહ અલ્ અન્-આમ
આયત નં.:-69,70
=======================
اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم
અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)
☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️
وَمَا عَلَى الَّذِيۡنَ يَتَّقُوۡنَ مِنۡ حِسَابِهِمۡ مِّنۡ شَىۡءٍ وَّلٰـكِنۡ ذِكۡرٰى لَعَلَّهُمۡ يَتَّقُوۡنَ(69)
(69). અને જે લોકો પરહેઝગારી રાખે છે તેમના ઉપર તેઓના પકડની કોઈ અસર થશે નહિ, પરંતુ તેમના અધિકારમાં તાલીમ આપવાનું છે, કદાચ તેઓ પણ પરહેઝગારી રાખવા લાગે
☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️
وَذَرِ الَّذِيۡنَ اتَّخَذُوۡا دِيۡنَهُمۡ لَعِبًا وَّلَهۡوًا وَّغَرَّتۡهُمُ الۡحَيٰوةُ الدُّنۡيَا ۚ وَ ذَكِّرۡ بِهٖۤ اَنۡ تُبۡسَلَ نَفۡسٌ ۢ بِمَا كَسَبَتۡۖ لَـيۡسَ لَهَا مِنۡ دُوۡنِ اللّٰهِ وَلِىٌّ وَّلَا شَفِيۡعٌ ۚ وَاِنۡ تَعۡدِلۡ كُلَّ عَدۡلٍ لَّا يُؤۡخَذۡ مِنۡهَا ؕ اُولٰٓئِكَ الَّذِيۡنَ اُبۡسِلُوۡا بِمَا كَسَبُوۡا ۚ لَهُمۡ شَرَابٌ مِّنۡ حَمِيۡمٍ وَّعَذَابٌ اَ لِيۡمٌۢ بِمَا كَانُوۡا يَكۡفُرُوۡنَ(70)
(70). અને એવા લોકો સાથે કદી પણ સંબંધ ન રાખો જેમણે પોતાના ધર્મને ખેલ-તમાશો બનાવી રાખ્યો છે અને દુનિયાની જિંદગીએ જેમને ધોખામાં નાખી રાખ્યા છે અને આ કુરઆન વડે તાલીમ પણ આપતા રહો જેથી કોઈ વ્યક્તિ પોતાના કર્મોના કારણે એવી રીતે ફસાઈ ન જાય કે કોઈ અલ્લાહના સિવાય તેની ન મદદ કરવાવાળો હોય અને ન ભલામણ કરવાવાળો અને એ હાલત હોય કે જો દુનિયાભરનો બદલો આપી દે તો પણ તેનાથી લેવામાં ન આવે, તેઓ એવા જ છે કે પોતાના કર્મોના કારણે ફસાઈ ગયા, તેમના માટે ઊકળતુ પાણી પીવા માટે હશે અને પીડાકારી સજા હશે તેમના કુફ્રના કારણે.