સુરહ અલ્ અન્-આમ 41,42,43
PART:-406
~~~~~~~~~~~~~
આજની આયાતના વિષય
~~~~~~~~~~~~~~
મુસીબત ના સમયે અલ્લાહ યાદ આવે
જેવી મુસીબત હટે એટલે શિર્ક કરે
=======================
પારા નંબર:- 07
(6)સુરહ અલ્ અન્-આમ
આયત નં.:-41,42,43
=======================
اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم
અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)
☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️
بَلۡ اِيَّاهُ تَدۡعُوۡنَ فَيَكۡشِفُ مَا تَدۡعُوۡنَ اِلَيۡهِ اِنۡ شَآءَ وَتَنۡسَوۡنَ مَا تُشۡرِكُوۡنَ(41)
(41). બલ્કે ખાસ કરીને તેને જ પોકારશો, પછી જેના માટે તમે પોકારશો જો તે ઈચ્છે તો તેને હટાવી પણ દે અને જેમને તમે ભાગીદાર ઠેરવો છો તે બધાને ભૂલી જશો.
તફસીર(સમજુતી):-
મુશરિક અકાઈદ રાખનારાઓ અને ગૈરુલ્લાહને હાજતરવા અને મુશ્કિલકુશા માનવાવાળાઓ ઉપર જ્યારે અચાનક મુસીબત આવી પડે ત્યારે તે બધુ જ ભુલી જાય છે અને ઈન્સાની ફિતરત પ્રમાણે મુસીબતના સમય તે અલ્લાહને જ પોકારશે, પછી અલ્લાહ ચાહે તો મુસીબત હટાવે. કાશ... લોકો હંમેશા આવી જ ફિતરત પર કાયમ રહેતાં હોત.
☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️
وَلَقَدۡ اَرۡسَلۡنَاۤ اِلٰٓى اُمَمٍ مِّنۡ قَبۡلِكَ فَاَخَذۡنٰهُمۡ بِالۡبَاۡسَآءِ وَالضَّرَّآءِ لَعَلَّهُمۡ يَتَضَرَّعُوۡنَ(42)
(42). અને અમે બીજી કોમો તરફ પણ જો કે તમારાથી પહેલા પસાર થઈ ગઈ છે, પયગંબર મોકલ્યા હતા. તેમને પણ અમે ગરીબી અને બિમારીથી પકડ્યા જેથી તેઓ વિનમ્રતાપૂર્વક અમારા સામે ઝૂકી પડે.
فَلَوۡلَاۤ اِذۡ جَآءَهُمۡ بَاۡسُنَا تَضَرَّعُوۡا وَلٰـكِنۡ قَسَتۡ قُلُوۡبُهُمۡ وَزَيَّنَ لَهُمُ الشَّيۡطٰنُ مَا كَانُوۡا يَعۡمَلُوۡنَ(43)
(43). આ રીતે તેઓને અમારી સજા મળી તો તેઓ કમજોર કેમ ન પડ્યા? પરંતુ તેમના દિલ સખત થઈ ગયા હતા અને શયતાને તેમના કર્મોને તેમની દૃષ્ટિમાં સારા બનાવી દીધા.
તફસીર(સમજુતી):-
તમારા પહેલાની કૌમો તરફ પણ પંયગબરો મોકલવામાં આવ્યા હતાં પછી જ્યારે તેઓએ તેમને જૂઠાડ્યા તો તેમને ગરીબી અને બિમારી ના અઝાબથી પકડ્યા જેથી તેઓ અલ્લાહ સામે ઝૂકી જાય પરંતુ જેઓ અઝાબ હટે તેઓ પાછા જેવા હતાં તેવા થઈ ગયા તેમના પર અઝાબની કોઈ અસર ન થઈ કારણકે તેમના દિલ સખત થઈ ગયા હતાં અને શયતાને તેમના ખરાબ કાર્યો ને ખુબસુરત અને સારા બનાવીને તેમની આંખો સામે લાવી દીધા.