સુરહ અલ્ અન્-આમ 39,40
PART:-405
~~~~~~~~~~~~~
આજની આયાતના વિષય
~~~~~~~~~~~~~~
અલ્લાહની આયતોને જૂઠાડે તે બહેરા
મૂંગા અને આંધળા છે
=======================
પારા નંબર:- 07
(6)સુરહ અલ્ અન્-આમ
આયત નં.:-39,40
=======================
اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم
અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)
☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️
وَالَّذِيۡنَ كَذَّبُوۡا بِاٰيٰتِنَا صُمٌّ وَّبُكۡمٌ فِى الظُّلُمٰتِؕ مَنۡ يَّشَاِ اللّٰهُ يُضۡلِلۡهُ ؕ وَمَنۡ يَّشَاۡ يَجۡعَلۡهُ عَلٰى صِرَاطٍ مُّسۡتَقِيۡمٍ(39)
(39). અને જે લોકોએ અમારી આયતોને જૂઠાડે છે. તેઓ બહેરા, મૂંગા, અંધકારમાં છે, અલ્લાહ જેને ઈચ્છે છે તેને ભટકાવી દે છે અને જેને ઈચ્છે છે તેને સીધા માર્ગ પર લગાવી દે છે.'
તફસીર(સમજુતી):-
અલ્લાહની આયતોને જૂઠાડનારાઓ પોતાના કાનોથી સાચી વાત નથી સાંભળતા અને પોતાના મોઢાથી સાચુ નથી બોલતા એટલા માટે તેઓ એવા છે જેમકે મૂંગા અને બહેરા હોય છે. આના સિવાય આ લોકો કુફ્ર અને બદનામીના અંધકારમાં ઘેરાયેલા હોય છે, એટલા માટે તેમને કોઈ એવી વસ્તુ નથી દેખાતી જેનાથી તેઓ પોતાનો સુધાર કરી શકે.
☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️
قُلۡ اَرَءَيۡتَكُمۡ اِنۡ اَتٰٮكُمۡ عَذَابُ اللّٰهِ اَوۡ اَ تَتۡكُمُ السَّاعَةُ اَغَيۡرَ اللّٰهِ تَدۡعُوۡنَۚ اِنۡ كُنۡتُمۡ صٰدِقِيۡنَ(40)
(40). તમે કહી દો કે, “પોતાની હાલત તો બતાવો! જો તમારા ઉપર અલ્લાહનો કોઈ અઝાબ આવી પડે અથવા તમારા ઉપર કયામત જ આવી પહોંચે તો શું અલ્લાહના સિવાય બીજાઓને પોકારશો?” જો તમે સાચા હોવ.