સુરહ અલ્ માઈદહ 79,80
PART:-373
~~~~~~~~~~~~~
આજની આયાતના વિષય
~~~~~~~~~~~~~~
કાફિરોની દોસ્તીનું પરિણામ
જહન્નમમાં અઝાબ
=======================
પારા નંબર:- 06
(5)સુરહ અલ્ માઈદહ
આયત નં.:- 79,80
=======================
اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم
અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)
☘☘☘☘☘☘☘☘☘☘️☘️
كَانُوۡا لَا يَتَـنَاهَوۡنَ عَنۡ مُّنۡكَرٍ فَعَلُوۡهُ ؕ لَبِئۡسَ مَا كَانُوۡا يَفۡعَلُوۡنَ(79)
(79). તેઓ પરસ્પર એકબીજાને બૂરા કામોથી જેને તેઓ કરતા હતા તેનાથી રોકતા ન હતા, જે કંઈ તેઓ કરતા હતા તે ઘણું ખરાબ હતું.
☘☘☘☘☘☘☘☘☘☘️☘️
تَرٰى كَثِيۡرًا مِّنۡهُمۡ يَتَوَلَّوۡنَ الَّذِيۡنَ كَفَرُوۡاؕ لَبِئۡسَ مَا قَدَّمَتۡ لَهُمۡ اَنۡفُسُهُمۡ اَنۡ سَخِطَ اللّٰهُ عَلَيۡهِمۡ وَفِى الۡعَذَابِ هُمۡ خٰلِدُوۡنَ(80)
(80). તેમનામાંના ઘણા લોકોને તમે જોશો કે તેઓ કાફિરો સાથે દોસ્તી કરે છે, જે કંઈ તેઓએ પોતાની આગળ મોકલી રાખ્યું છે તે ઘણું ખરાબ છે. (એ) કે અલ્લાહ(તઆલા) તેમનાથી નારાજ થયો અને તેઓ હંમેશા અઝાબમાં રહેશે
તફસીર(સમજુતી):-
આ કાફિરોથી દોસ્તીનું પરિણામ છે કે અલ્લાહ તઆલા તેમની ઉપર ગુસ્સે થયો અને આ ગુસ્સાને કારણે કાયમી રૂપે જહન્નમનો અઝાબ છે.