સુરહ અન્-નિસા 146,147
PART:-320
પારા નંબર:- 05
(4)સુરહ અન્-નિસા
આયત નં.:-146,147
☘☘☘☘☘☘☘☘☘☘☘
પારા નંબર:- 05
(4)સુરહ અન્-નિસા
આયત નં.:-146,147
☘☘☘☘☘☘☘☘☘☘☘
اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم
અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)
☘☘☘☘☘☘☘☘☘☘☘
اِلَّا الَّذِيۡنَ تَابُوۡا وَاَصۡلَحُوۡا وَاعۡتَصَمُوۡا بِاللّٰهِ وَاَخۡلَصُوۡا دِيۡنَهُمۡ لِلّٰهِ فَاُولٰٓئِكَ مَعَ الۡمُؤۡمِنِيۡنَ ؕ وَسَوۡفَ يُـؤۡتِ اللّٰهُ الۡمُؤۡمِنِيۡنَ اَجۡرًا عَظِيۡمًا(146)
(146). હાં જો માફી માંગી લે અને સુધાર કરી લે અને અલ્લાહ (તઆલા) પર વિશ્વાસ કરે અને સાચી રીતે અલ્લાહના માટે જ ધર્મના કામ કરે, તો આવા લોકો ઈમાનવાળાઓની સાથે છે અલ્લાહ (તઆલા) ઈમાનવાળાઓને ધણો મોટો બજલો આપશે.
તફસીર (સમજુતી):-
એટલે કે મુનાફિકોમાથી જે આ ચાર વાતોનું સાચા દિલથી પાલન કરશે તે જહન્નમમાં જવાને બદલે જન્નતમાં ઈમાનવાળાઓના સાથે હશે.
☘☘☘☘☘☘☘☘☘☘☘
مَا يَفۡعَلُ اللّٰهُ بِعَذَابِكُمۡ اِنۡ شَكَرۡتُمۡ وَاٰمَنۡتُمۡ ؕ وَكَانَ اللّٰهُ شَاكِرًا عَلِيۡمًا(147)
(147). અલ્લાહ (તઆલા) તમને સજા આપીને શું કરશે, જો તમે શુક્રગુજાર(કૃતજ્ઞ) રહો અને ઈમાનની સાથે રહો ? અને અલ્લાહ (તઆલા) મોટો કદરદાન સધળુ જાણવાવાળો છે.