સુરહ બકરહ 155,156

PART:-91

         (Quran-Section)


      (2)સુરહ બકરહ

         આયત નં.:-155,156


☘☘☘☘☘☘☘☘☘☘☘


اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيْمِ


અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)

☘☘☘☘☘☘☘☘☘☘☘


وَلَـنَبۡلُوَنَّكُمۡ بِشَىۡءٍ مِّنَ الۡخَـوۡفِ وَالۡجُـوۡعِ وَنَقۡصٍ مِّنَ الۡاَمۡوَالِ وَالۡاَنۡفُسِ وَالثَّمَرٰتِؕ وَبَشِّرِ الصّٰبِرِيۡنَۙ (155)


155).અને અમે કોઈને કોઈ રીતે તમારી પરીક્ષા જરૂર લઈશું, દુશ્મનોના ડરથી, ભૂખ અને તરસથી, માલ અને જાનથી, ફળોની કમીથી, અને તે સબ્ર કરવાવાળાઓને ખુશખબર આપી દો.


તફસીર(સમજુતી):-


અલ્લાહ(તઆલા) પોતાના બંદાઓ ની સુખ અને દુઃખ બન્ને પરિસ્થિતિમાં પરીક્ષા લે છે સુખમાં અલ્લાહ નો શુક્ર કરે, અને દુઃખમાં  સબ્ર કરે


☘☘☘☘☘☘☘☘☘☘☘


الَّذِيۡنَ اِذَآ اَصَابَتۡهُمۡ مُّصِيۡبَةٌ  ۙ قَالُوۡٓا اِنَّا لِلّٰهِ وَاِنَّـآ اِلَيۡهِ رٰجِعُوۡنَؕ (156)


156).તેમને જ્યારે પણ કોઈ મુસીબત આવે છે તો કહે

છે કે, અમે તો પોતે અલ્લાહ (તઆલા) માટે છીએ અને

અમે તેના તરફ પાછા ફરનારા છીએ.


તફસીર(સમજુતી):-


હવે બયાન છેકે જે સબ્ર કરવાવાળા લોકો જેમની અલ્લાહ ને ત્યાં ઈઝ્ઝત છે તે કોણ, તે એ લોકો છે જેમના પર મુસીબતો આવે છે તો તેઓ અલ્લાહ નુ ઝિક્ર કરે છે અને કહે છે અમે અલ્લાહ ની મિલ્કીયતમા છે અને તેની તરફ પાછા જવાના છે


☘☘☘☘☘☘☘☘☘☘☘

Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92