(2( સુરહ બકરહ 111,112

PART:-65

(Quran-Section)


      (2)સુરહ બકરહ

         આયત નં.:-111,112


●ஜ▬▬ஜ~●~ஜ▬▬ஜ●


اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيْمِ


અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)

_________________________


وَ قَالُوۡا لَنۡ یَّدۡخُلَ الۡجَنَّۃَ اِلَّا مَنۡ کَانَ ہُوۡدًا اَوۡ نَصٰرٰی ؕ تِلۡکَ اَمَانِیُّہُمۡ ؕ قُلۡ ہَاتُوۡا بُرۡہَانَکُمۡ اِنۡ کُنۡتُمۡ صٰدِقِیۡنَ ﴿۱۱۱﴾ 


111). અને તેઓ કહે છે કે જન્નતમાં યહૂદી અને ઈસાઈના સિવાય કોઈ જશે નહિ, આ ફક્ત તેમની તમન્નાઓ છે, તેમને કહો જો તમે સાચા હોવ તો કોઈ '

દલીલ તો રજૂ કરો.


તફસીર(સમજુતી):-


અહીં ફરીથી કિતાબવાળાઓના ઘંમડ અને કપટ નુ બયાન કરવામાં આવે છે, જેમાં તેઓ ડુબેલા છે. અલ્લાહ તાઅ્લા ફરમાવે છે કે આ માત્ર એમની ઇચ્છાઓ છે જેની તેમની પાસે કોઈ દલીલ નથી.

__________________________


بَلٰی  مَنۡ اَسۡلَمَ وَجۡہَہٗ لِلّٰہِ وَ ہُوَ مُحۡسِنٌ فَلَہٗۤ اَجۡرُہٗ عِنۡدَ رَبِّہٖ ۪ وَ لَا خَوۡفٌ عَلَیۡہِمۡ وَ لَا ہُمۡ یَحۡزَنُوۡنَ ﴿۱۱۲﴾


112). સાંભળો! જેણે પોતાની જાત અલ્લાહને સોંપી દીધી, અને નેક છે તેના માટે તેના રબ પાસે બદલો છે અને ન તેના પર કોઈ ભય હશે ન કોઈ ગમ.(રુકૂઅ-૧૩)


તફસીર(સમજુતી):-


આ આયત માં(اَسْلَمَ وَ جْھَہ لِلّٰہِ )

નો અર્થ ફકત અલ્લાહ ની રજા માટે જ કર્મ કરવુ અને ઈખલાસ ની સાથે પયગંબર મુહમ્મદﷺ ની સુન્નત મુજબ અમલ કરવા આ બે બુનિયાદી નિયમ થી પરલોકમા સફળ થવાશે ખાલી આરજુઓ થી  સફળતા નહીં મળે

__________________________


Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92