(2).સુરહ બકરહ 98,99

PART:-58
(Quran-Section)

        (2)સુરહ બકરહ
       આયત નં.:-98,99

●ஜ▬▬ஜ~●~ஜ▬▬ஜ●

اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيْمِ

અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)
_________________________

مَنۡ کَانَ عَدُوًّا لِّلّٰہِ وَ مَلٰٓئِکَتِہٖ وَ رُسُلِہٖ وَ جِبۡرِیۡلَ وَ مِیۡکٰىلَ فَاِنَّ اللّٰہَ عَدُوٌّ لِّلۡکٰفِرِیۡنَ ﴿۹۸﴾

98).જેઓ અલ્લાહ અને તેના ફરિશ્તાઓ અને તેના પયગંબરો અને જિબ્રઈલ અને મીકાઈલના દુશ્મનો છે, અલ્લાહ તે કાફિરોનો દુશ્મન છે.
__________________________

وَ لَقَدۡ اَنۡزَلۡنَاۤ اِلَیۡکَ اٰیٰتٍۭ بَیِّنٰتٍ ۚ وَ مَا یَکۡفُرُ بِہَاۤ اِلَّا الۡفٰسِقُوۡنَ ﴿۹۹﴾

99).અમે તમારા તરફ એવી આયતો અવતરિત કરી છે જે સ્પષ્ટપણે સત્યને જાહેર કરનારી છે અને તેના અનુસરણથી માત્ર તે જ લોકો ઇન્કાર કરે છે, જેઓ અવજ્ઞાકારી છે.

તફસીર(સમજુતી):-


એટલે કે, મુહમ્મદ (સ.અ.વ.) અમે તે નિશાનીઓ મોકલી છે જે તમારી નબુવતનો સ્પષ્ટ પુરાવો  છે, યહૂદીઓની વિશિષ્ટ માહિતી, તેમની કિતાબોમાં છુપાયેલી વાતો,  વગેરે વગેરે, આ બધું પવિત્ર કુરાનમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે જેને દરેક જીવંત અંતરઆત્મા સાભળે તો તમારા પર ઈમાન લાવી દે, પણ યહૂદીઓને તેમની ઇર્ષા અને બુગ્ઝ રોકી રાખે છે પરંતુ દરેક વ્યક્તિ સમજી શકે છે કે એક અનપઢ વ્યક્તિ આવુ ચમત્કારી કલામ કેવી રીતે સંભળાવી શકે!

ઇબ્ને અબ્બાસ કહે છે કે ઇબ્ને સૂર યા કુત્યુનિએ પયગમ્બર (સ.અ.વ.) ને કહ્યું કે તમે કોઈ એવી વસ્તુ નથી લાવ્યા જેને અમે ઓળખી શક્યે, અથવા તમારી પાસે કોઈ સ્પષ્ટ પુરાવા નથી. આના પરથી આ આયત નુ ઉતરાણ થયું

કારણકે યહુદીઓ આ વાત ને નકારી રહ્યાં હતા કે અમારા પાસે છેલ્લા પયગંબર વિષે કોઈ કરાર થયો હોય.આ વાત પર અલ્લાહ કહે છે કે આ તો તેમની આદત જ છે કે કરાર કરીને પછી તોડી નાખવાનો
__________________________

Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92