27,28 સુરહ બકરહ


PART:-19
અસ્સલામુ અલયકુમ
બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ

વિષય:-સુરહ બકરહ.(2)

કુરઆન પઢવાની શરૂઆત કરતાં પેહલા [અઉઝુબિલ્લાહિ-મિનશ્-શયતાનિર્-રજીમ] પઢવુ

જેનો અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)
        (આયત નં:-27,28)
👇કુરઆનની આયાતો શરૂ👇
📖📖📖📖📖📖📖📖📖
➖➖➖➖➖➖➖➖➖
الَّذِیۡنَ یَنۡقُضُوۡنَ عَہۡدَ اللّٰہِ مِنۡۢ بَعۡدِ مِیۡثَاقِہٖ ۪ وَ یَقۡطَعُوۡنَ مَاۤ اَمَرَ اللّٰہُ بِہٖۤ اَنۡ یُّوۡصَلَ وَ یُفۡسِدُوۡنَ فِی الۡاَرۡضِ ؕ اُولٰٓئِکَ ہُمُ الۡخٰسِرُوۡنَ ﴿۲۷﴾

27).અલ્લાહ સાથે પાકો કરાર કર્યા પછી તોડી નાખે છે, અલ્લાહે જેને જોડવાનો હુકમ આપ્યો છે તેને તોડે છે, અને ધરતી ઉપર બગાડ પેદા કરે છે. હકીકતમાં આ જ લોકો નુકસાન ઉઠાવનારા છે.
➖➖➖➖➖➖➖➖➖
کَیۡفَ تَکۡفُرُوۡنَ بِاللّٰہِ وَ کُنۡتُمۡ اَمۡوَاتًا فَاَحۡیَاکُمۡ ۚ ثُمَّ یُمِیۡتُکُمۡ ثُمَّ یُحۡیِیۡکُمۡ ثُمَّ اِلَیۡہِ تُرۡجَعُوۡنَ ﴿۲۸﴾

28).તમે અલ્લાહ સાથે કુફ્ર (ઇન્કાર)નું વલણ કઈ રીતે અપનાવો છો, જ્યારે કે તમે નિર્જીવ હતા, તેણે તમને જીવન પ્રદાન કર્યું, પછી તે જ તમારા પ્રાણ લઈ લેશે, પછી તે જ ફરીવાર જીવન પ્રદાન કરશે, પછી તેના જ તરફ તમારે પાછા ફરીને જવાનું છે.
➖➖➖➖➖➖➖➖➖
તફસીર(સમજૂતી)

1).આદમ અ.સ. થી લઈને કયામત સુધી આવનારી તમામ માનવજાતી પાસે આદમ અ.સ.ના નિર્માણ સમયે અલ્લાહ એ પાકો વાયદો લીધેલો કે તેઓ અલ્લાહ સિવાય કોઈ ની ઈબાદત નહીં કરે પણ માનવીઓ એ વાયદો દુનિયામાં આવીને તોડયો

અહીં બીજી વાત સિલાહરહમી એટલે કે રીશ્તેદારી જોડવાનો હુકમ ની નાફરમાની કરીને તેને તોડે છે અને દુનિયામાં બગાડ ફેલાવે છે હકીકતમાં આવા લોકો જ નુકશાન ઉઠાવવાળા છે

2).આ આયત માં કેહવામા આવ્યું છે કે તમે લોકો અલ્લાહ ના વજૂદ ને કેવી રીતે નકારી શકો જયારે તમે કશું જ ન હતા ત્યારે તમારી અંદર રુહ મુકીને તમને જીવીત કર્યો અને પછી તમને મુત્યુ આપશે પછી ફરીથી તમને જીવિત કરશે ત્યારે તમે અલ્લાહ તરફ જ જશો
〰〰〰〰〰〰〰〰〰〰〰







Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92